January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિથી પુરની ભીતી : જિલ્લામાં યલો એલર્ટ : તમામ નદીઓ બે કાંઠે

કપરાડા, ધરમપુર, વલસાડ તાલુકાના કુલ 22 રસ્‍તા બંધ : વલસાડ-ગુંદલાવ ને જોડતો ઔરંગા પુલ બંધ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લામાં ફરી અતિવૃષ્‍ટિ થઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં તા.16 થી 17 ઓઘસ્‍ટે ભારેથી અતિભારે વરસાદ પડશે તે મુજબ આજે મંગળવારે સતત આખો દિવસ વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પડયો છે. અતિવૃષ્‍ટિ ઉપરવાસના વરસાદથી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્‍થિતિ સર્જાતા વહીવટી તંત્રએ યલો એલર્ટ જાહેર કરીનેએન.ડી.આર.એફ.ની એક ટીમ સ્‍ટેન્‍ડ બાય કરી છે તેમજ જોખમ સર્જી શકે તેવા જિલ્લાના કુલ 22 રસ્‍તા બંધ કરવામાં આવ્‍યા છે.
વરસાદની બીજી ઈનીંગ ફરી પણ વલસાડ શહેર ઉપર પુરનું જોખમ તોળાઈ રહ્યું છે. વલસાડની લોકમાતા ઔરંગા નદી પરનો કૈલાસ રોડથી ગુંદલાવને જોડતો પુલ બંધ કરાવાયો છે તેમજ પોલીસ તહેનાત કરી દેવાઈ છે. જિલ્લાની મુખ્‍યત્‍વે ઔરંગા, કોલક, પાર અને દમણગંગા નદીની સપાટી વધી રહી છે તેથી વહીવટી તંત્રએ નિચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને સલામત સ્‍થળે ખસી જવાની તાકીદ પણ કરી છે. ફરીવાર પુર આવે તેવી ભીતી સર્જાતા કપરાડાના 12, ધરમપુરના 7 અને વલસાડના 3 મળી કુલ જિલ્લાના 22 રોડ બંધ કરાવી દેવાયા છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ લોકોને એલર્ટ રહેવાનું જણાવાયું છે. આજે સાંજ સુધીમાં જિલ્લાની તમામ નદીઓની સપાટી વધી રહી છે. હજુ આવતીકાલે તા.17 ઓગસ્‍ટે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે તેથી ફરી વલસાડ જિલ્લો અતિવૃષ્‍ટિમાં સપડાઈ રહ્યો છે. બીજી તરફ મધુબન ડેમમાંથી પણ ઉપરવાસના વરસાદને લઈ 50 હજાર ક્‍યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

Related posts

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી-દાનહને સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રેરિત કરવા રાષ્‍ટ્રપતિના હસ્‍તે મળેલ એવોર્ડશિલ્‍ડ સમર્પિત કર્યો

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment