December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે મુજબ (૧) છૂટા ફૂલો (લૂઝ ફલાવર્સ)ની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ) ખેતીમાં સહાય ઘટક મુજબ સામાન્ય જાતિના ખેડૂતને રૂ.૫૫૦૦૦/હેકટર અને અનુજાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૬૫૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૩) કંદફૂલો (બલ્બ ફલાવર્સ) ખેતીમાં સહાય યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડૂતને રૂ.૯૭૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી,વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

Leave a Comment