April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે મુજબ (૧) છૂટા ફૂલો (લૂઝ ફલાવર્સ)ની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ) ખેતીમાં સહાય ઘટક મુજબ સામાન્ય જાતિના ખેડૂતને રૂ.૫૫૦૦૦/હેકટર અને અનુજાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૬૫૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૩) કંદફૂલો (બલ્બ ફલાવર્સ) ખેતીમાં સહાય યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડૂતને રૂ.૯૭૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી,વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

vartmanpravah

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment