January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

શ્રી કૃષ્‍ણ, રાધાના વિભિન્ન સ્‍વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્‍ચે ગુજરાતી સાહિત્‍યના આધુનિક કવિ, વિવેચક અને સંપાદક તરીકે મશહૂર બનેલા અંકિત ત્રિવેદીના સાનિધ્‍યમાં વી.આઈ.એ. દ્વારા ‘‘વાંસળી અને સુદર્શન” વિષયની પરિભાષામાં ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણુંવિશિષ્‍ટ શ્રોતાઓની ઉપસ્‍થિતિમાં યોજાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વી.આઈ.એ. કમીટી મેમ્‍બર પરાગ દોશીએ મુખ્‍ય વક્‍તા અંકિત ત્રિવેદીનો સંક્ષિપ્ત પરિચય આપ્‍યો હતો તેમજ માનદમંત્રી કલ્‍પેશ વોરાએ ઈમ્‍પેક્‍ટ ટોક શરૂ કરવાનો ઉદ્દેશ સમજાવ્‍યો હતો. વી.આઈ.એ. દ્વારા વિશિષ્‍ટ કેરેક્‍ટરોને આમંત્રિને જ્ઞાન, ગોષ્‍ઠીનું આયોજન કરવામાં આવે છે. અત્‍યાર સુધી 7 પ્રતિભાઓ, વાપી વી.આઈ.એ.માં પધારી ચુક્‍યા છે. જેમાં ડો.પવન અગ્રવાલ (ડબ્‍બા ટિફિન મેનેજમેન્‍ટ મુંબઈ), પ્રિયા કુમાર, સુરેશ શ્રીનિવાસન, મનન દેસાઈ, ચેતના ગાલા સિન્‍હા, ચેતન ભગત તથા જી.અન્નાદુરલ જેવી પ્રતિભાઓ વી.આઈ.એ.ના ઈમ્‍પેક્‍ટ ટોક શોમાં મુખ્‍ય અતિથિ તરીકે આવી ચૂક્‍યા છે. આગામી સમયે બોમન ઈરાની, સંજય રાવલ, ડો.સુભાષ ચન્‍દ્રા જેવી હસ્‍તીઓ લાવવાનું વી.આઈ.એ.નું પ્‍લાનીંગ છે. અંકિત ત્રિવેદી ગુજરાતના પ્રથમ પંક્‍તિના કવિ, લેખક અને મોટીવેટર છે. તેમણે શ્રી કૃષ્‍ણ ગીતા અને અર્જુન વિષાદ, ગીતા રહસ્‍યો ઉપર માર્મિક પ્રકાશ પાડયો હતો. અંતે શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપ્‍યા હતા. વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ અને ટીમે સ્‍મૃતિ ચિન્‍હ આપી અંકિત ત્રિવેદીનું સન્‍માન કર્યું હતું તેમજ માનદમંત્રી સતીષ પટેલએ આભારવિધિ કરી હતી.

Related posts

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

Leave a Comment