April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્‍યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
માછીમારી કરવા નવસારીની બોટ મુંબઈ તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડથી 13 નોટિકલ માઈલ દરિયામાં બોટનું એન્‍જિન બંધ પડી જતા માલિક સહિત 17 જેટલા માછીમારો મધરાત્રે દરિયામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સુરત કરવામાં આવતા સુરતથી દમણ કોસ્‍ટ ગાર્ડને જાણ કરાઈ હતી. કોસ્‍ટાગાર્ડે દિલધડક રેસક્‍યુ ઓપરેશન તાબડતોબ હાથ ધરીને ફસાયેલા માછીમારોને ઉગારી લેવાયા હતા.
માછીમારીનો વ્‍યવસાય જોખમી છે. દરિયામાં ક્‍યારે કેવી પરિસ્‍થિતિ સર્જાય તેનો તાગ મેળવવો અશક્‍ય છે. કંઈક તેવી ઘટના મંગળવારે રાત્રે વલસાડ નજીક દરિયામાં ઘટી હતી. નવસારીથી માછીમારી કરવા કૃષ્‍ણાપુર ગામથી બોટ દરિયામાં નિકળી હતી. વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટનું એન્‍જિન ખોરવાઈ ગયું હતું. રાત પડી ચુકી હતી. અંધારામાં બોટમાં સવાર માલિક સાથે 17 જેટલા માછીમારો સાથે આભ તૂટી પડયુ હતું. ઘટનાની જાણ દમણ કોસ્‍ટ ગાર્ડને કરવામાં આવતા કોસ્‍ટ ગાર્ડની ટીમેવલસાડ દરિયામાં આવી રેસ્‍ક્‍યુ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. બોટમાં સવાર માલિક અને અન્‍ય બે સિવાયના 14 જેટલા માછીમારોને સલામત રીતે બહાર કાઢી દમણમાં લવાયા હતા.

Related posts

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment