March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્‍યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
માછીમારી કરવા નવસારીની બોટ મુંબઈ તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડથી 13 નોટિકલ માઈલ દરિયામાં બોટનું એન્‍જિન બંધ પડી જતા માલિક સહિત 17 જેટલા માછીમારો મધરાત્રે દરિયામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સુરત કરવામાં આવતા સુરતથી દમણ કોસ્‍ટ ગાર્ડને જાણ કરાઈ હતી. કોસ્‍ટાગાર્ડે દિલધડક રેસક્‍યુ ઓપરેશન તાબડતોબ હાથ ધરીને ફસાયેલા માછીમારોને ઉગારી લેવાયા હતા.
માછીમારીનો વ્‍યવસાય જોખમી છે. દરિયામાં ક્‍યારે કેવી પરિસ્‍થિતિ સર્જાય તેનો તાગ મેળવવો અશક્‍ય છે. કંઈક તેવી ઘટના મંગળવારે રાત્રે વલસાડ નજીક દરિયામાં ઘટી હતી. નવસારીથી માછીમારી કરવા કૃષ્‍ણાપુર ગામથી બોટ દરિયામાં નિકળી હતી. વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટનું એન્‍જિન ખોરવાઈ ગયું હતું. રાત પડી ચુકી હતી. અંધારામાં બોટમાં સવાર માલિક સાથે 17 જેટલા માછીમારો સાથે આભ તૂટી પડયુ હતું. ઘટનાની જાણ દમણ કોસ્‍ટ ગાર્ડને કરવામાં આવતા કોસ્‍ટ ગાર્ડની ટીમેવલસાડ દરિયામાં આવી રેસ્‍ક્‍યુ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. બોટમાં સવાર માલિક અને અન્‍ય બે સિવાયના 14 જેટલા માછીમારોને સલામત રીતે બહાર કાઢી દમણમાં લવાયા હતા.

Related posts

ચીખલી સ્‍પંદન હોસ્‍પિટલના ડો. પ્રદિપભાઈ પટેલે માનવતા મહેકાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

Leave a Comment