August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

રાષ્‍ટ્રપતિને જિલ્લા કલેક્‍ટર મારફત ઘટનાને વખોડતું અને ભવિષ્‍યમાં ઘટનાનું પુનરાવર્તન નહીં તેની કાળજી માટે પાઠવનારૂં આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણ-દીવના નવગઠિત અનુ.જાતિ અને જનજાતિ વિચાર મંચ દ્વારા આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી રાજસ્‍થાનમાં એક દલિત બાળકની પીવાના પાણીના મુદ્દે હેડ માસ્‍ટર દ્વારા કરાયેલી હત્‍યાના વિરોધમાં શાંત રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્‍થાનના ઝારોલ જિલ્લાની સુરાણાની સરસ્‍વતી વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ઈન્‍દ્ર મેઘવાલે હેડ માસ્‍ટરના માટલામાંથી પાણી પીવાની કરેલી ગુસ્‍તાખી બદલ ગુસ્‍સે થયેલા હેડ માસ્‍ટરે સખત માર મારતાં તેનું હોસ્‍પિટલમાં મોતથયું હતું. તેના વિરોધમાં આવતી કાલે દમણના અનુ.જાતિ અને જનજાતિ વિચારમંચ દ્વારા સવારે 10:00 વાગ્‍યે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ઉપસ્‍થિત રહેવા અનુ.જાતિ અને જનજાતિના વિવિધ સમાજોએ સામુહિક અપીલ કરી છે. જેમાં હળપતિ સમાજના શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, શ્રી ભાવિકભાઈ હળપતિ, દમણ માહ્યાવંશી સમાજના શ્રી અનિલભાઈ દમણિયા, ભામટી પ્રગતિ મંડળના શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી રિતેશ (પિકિન) કોન્‍ટ્રાક્‍ટર, શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રી સંતોષ કારલેકર તથા દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો સમાવેશ થાય છે.

Related posts

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વાપીજી.આઈ.ડી.સી. સી-ટાઈપ નજીર રાત્રે ફરજ પરથી આવી રહેલ વિકલાંગ સાયકલ સવાર શ્રમિકનો મોબાઈલ ઝૂંટવાયો

vartmanpravah

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

Leave a Comment