April 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

કોંગ્રેસની ગેરંટીએ મહિલાઓ અને યુવાનોમાં પેદા કરેલું આકર્ષણઃકોંગ્રેસ અધ્‍યક્ષ મહેશભાઈ શર્મા2009ની ચૂંટણી 

+ બાદ પહેલી વખત કોંગ્રેસે દાદરા નગર હવેલીમાં બતાવેલો દમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીત માહલાએ આજે આમલી બાલાજી મંદિર ખાતે આશીર્વાદ લઈ પોતાના ઉમેદવારી પત્રક ભરવા માટેની રેલીમાં જોડાયા હતા. રેલીમાં 2009ની લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત કાર્યકરો ખુબ મોટી સંખ્‍યામાં સ્‍વયંભૂ રીતે જોડાયા હોવાનુંઅખબારી યાદીમાં જણાવાયું છે.
દાદરા નગર હવેલી કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્‍યું હતું કે, કાર્યકર્તાઓનો ઉત્‍સાહ એ બતાવે છે કે, આ વખતે કોંગ્રેસ જીતશે જ. હવે લોકો જુમલાબાજ સરકારની અસલિયત ઓળખી ચુક્‍યા છે. બીજી બાજુ કોંગ્રેસની ગેરંટીએ મહિલાઓ અને યુવાનોમાં ખાસ આકર્ષણ પેદા કર્યું છે. કેન્‍દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે તો પાંચ ગેરંટી લાગુ કરશે. શ્રી મહેશભાઈ જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી ભાજપ પાસે કોઈ ઉમેદવાર જ નહીં હોવાથી તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કંઈપણ કામ નહીં કરનારા પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. શ્રી શર્માએ દાવો કર્યો હતો કે, આ વખતે દાદરા નગર હવેલીની જનતા મન બનાવી ચુકી છે અને તેઓ કોંગ્રેસને વિજયી બનાવશે.
દાનહ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્‍યું હતું કે, ભાજપના એમ.એસ.એમ.ઈ.ને 45 દિવસમાં પેમેન્‍ટ કરવાના નિર્ણયથી વેપારીઓ નારાજ છે, ઔદ્યોગિક સંગઠનો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. ભાજપના શાસનમાં શ્રમિક નારાજ છે, ગ્રામીણ નારાજ છે, ખેડૂતોમાં અસંતોષ ફેલાયેલો છે. ભાજપ જે 400 પારનો નારો લગાવી રહ્યા છે તેઓ 180થી વધુ સીટો નહીં જીતે તેવી આગાહી શ્રી મહેશભાઈ શર્માએ કરી હતી.
દાદરા નગર હવેલી કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી મહેશભાઈશર્માએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલા શિક્ષિત અને સ્‍વચ્‍છ છબી ધરાવતા હોવાથી તેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજની આ ઐતિહાસિક રેલીએ પણ સાબિત કરી બતાવ્‍યું છે કે, આ વખતે શહેરની જનતાની સાથે સાથે ગ્રામ્‍ય વિસ્‍તારની જનતા પણ કોંગ્રેસની સાથે છે અને અમને પુરો વિશ્વાસ છે કે, સત્તા પરિવર્તન સો ટકા થવાનું છે.
આજની રેલીમાં એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, કોંગ્રેસના ડમી ઉમેદવાર શ્રી યુવરાજ મહેશભાઈ ધોડી, શ્રી મહેશભાઈ ધોડી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

Leave a Comment