Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

શનિવારે શિવ કથાને અપાયેલો વિરામઃ મહાપ્રસાદનો સેંકડો ભાવિક ભક્‍તોએ લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર દૂધી માતાના મંદિર પટાંગણમાં આયોજીત વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસની શિવ કથાને શનિવારે વિરામ અપાયો હતો. આ પ્રસંગે દૂધી માતા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિક ભક્‍તો જોડાયા હતા.
વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે શિવ કથા દરમિયાન પોતાના વહેતા અસ્‍ખલિત વાણી પ્રવાહમાં સ્‍વર્ગ અને નરકની વ્‍યાખ્‍યા સમજાવી હતી. તેમણે કોઈની પણ નિંદા નહીં કરવા ઉપસ્‍થિત માનવ મહેરામણને રસાળ શૈલીમાં સમજણ આપી હતી. શિવ કથા દરમિયાન સમગ્ર મગરવાડા સહિત મોટી દમણનો વિસ્‍તાર શિવમયબની ચુક્‍યો હતો.
આ સમગ્ર વિરાટ કાર્યને સફળ બનાવવામાં દૂધી માતા પરિવારના વડીલ શ્રી દલુભાઈ, શ્રી રમણભાઈ, શ્રી ખંડુભાઈ, શ્રી હર્ષદભાઈ, શ્રી ભુપેનભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી ઠાકોરભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી દિવ્‍યેશભાઈ તથા ગૃપ અને ગામના દરેક યુવાનોએ સાથ અને સહકાર આપ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગરવાડાના નવયુવાન અને વ્‍યવસાયે શિક્ષક એવા શ્રી કમલેશભાઈ પટેલે ખુબ જ સુંદર અને રોચક રીતે કર્યું હતું.
આ કાર્યને સફળ બનાવવામાં મગરવાડા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ગોદાવરીબેન અને તેમના પતિ શ્રી શીતલભાઈ પટેલની પણ વિશેષ ભૂમિકા રહી હતી.

Related posts

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment