Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત રાજ્‍યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ માટે ગતતા.04 ઓગસ્‍ટથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજ્‍ય વ્‍યાપી તલાટી હડતાલમાં વલસાડ જિલ્લાના તલાટી પણ જોડાયા છે. તલાટીઓની 10 દિવસની હડતાલને લઈને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના રોજબરોજના કામકાજો ઠપ્‍પ થઈ ગયા છે તેથી લોકોને પડી રહેલી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઈ આજરોજ સોમવારે વલસાડ તાલુકા સરપંચ સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ તાલુકા સરપંચ સંઘએ આવેદનમાં કરેલી રજૂઆત મુજબ તલાટી કમ મંત્રીઓની હડતાલથી ગ્રામજનોના જન્‍મ-મરણ દાખલા, આધાર કાર્ડ, જાતિ વિષયક દાખલા, આવકના દાખલા જેવા રોજબરોજના કામો માટે લોકો પંચાયોતમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરિણામે વિકટ અને વિષમ સ્‍થિતિ દિવસે દિવસે ઉભી થઈ રહી છે. તેથી રાજ્‍ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવા આજે 50 જેટલા સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કેબીનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને પણ અનેક લોકો દ્વારા વ્‍યાપક ફરિયાદો કરવામાં આવી છે ત્‍યારે જાહેર હિત માટે તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવો રહ્યો.

Related posts

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

Leave a Comment