(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.23: કોરોના મહામારીનાં પગલે છેલ્લાં બે વર્ષથી ગણેશભક્તો મહોત્સવની ઉજવણી ઉજવી શક્યા ન હતા પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શ્રીજી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેને લઈને જિલ્લાભરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જ્યારે હવે કોરોના નિયંત્રણમાં હોવાથી શ્રીજી ભક્તો દ્વારા આ વર્ષે શ્રીજી ભક્તોમાં ઉત્સુકતા સાથે ઉજવણીમાં જોડાયા જ્યારે જિલ્લાના ચીખલી, ગણદેવી સહિત ખેરગામ તાલુકાના ગામડાંઓમાં અને શહેરોમાં ગણેશ ઉત્સવને લઈને મંડળો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે જેમ જેમ ગણેશ ચતુર્થીની તારીખ નજીક આવી રહી તેમ તેમ મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે.