April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

ઢોર પકડવાનું અભિયાન રોજ ચલાવાશે : બે એન.જી.ઓ.ને સોંપેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ સહિત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં રખડતા ઢોરની સમસ્‍યા હદ વટાવી ચૂકી છે ત્‍યારે વ્‍યાપક ફરિયાદો બાદ વલસાડ નગરપાલિકાએ આજે રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી 10 જેટલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં શિફટ કરવામાં આવ્‍યા હતા.
ગુજરાત હાઈકોર્ટની રખડતા ઢોરો માટેની કડક આલોચના બાદ રાજ્‍ય સરકાર એકશનમાં આવી ચૂકી હતી. તાકીદે કેબિનેટ મીટિંગ બોલાવીને રાજ્‍યભરમાં રખડતા ઢોરો વિરૂધ્‍ધ કામગીરી કરવામાં દરેક મ્‍યુનિસિપલ અને નગરપાલિકાઓને ફરમાન કરવામાં આવ્‍યું હતું તે અંતર્ગત વલસાડ નગરપાલિકા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે બે એન.જી.ઓ.ને કામગીરી સોંપી છે. પ્રાણી ફાઉન્‍ડેશન અને અગ્નિવિર ગૌરક્ષક સમિતિ શહેરમાં રખડતા, ટ્રાફિક જામ કરતા અને અકસ્‍માતો સર્જતા રખડતા ઢોરોને પકડી પકડી પાંજરાપોળમાં શિફટ કરશે તે અન્‍વયે આજે 10 જેટલા રખડતાઢોરને શિફટ કરાયા હતા. પાલિકાએ પશુ માલિકોને જાહેર અપીલ કરી છે કે તમારા ઢોર તમારા કબજામાં રાખો, છૂટા મુકી દેશો તો તેની વિરૂધ્‍ધ પાલિકા કાર્યવાહી કરશે.

Related posts

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

vartmanpravah

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

Leave a Comment