Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

ઢોર પકડવાનું અભિયાન રોજ ચલાવાશે : બે એન.જી.ઓ.ને સોંપેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ સહિત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં રખડતા ઢોરની સમસ્‍યા હદ વટાવી ચૂકી છે ત્‍યારે વ્‍યાપક ફરિયાદો બાદ વલસાડ નગરપાલિકાએ આજે રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી 10 જેટલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં શિફટ કરવામાં આવ્‍યા હતા.
ગુજરાત હાઈકોર્ટની રખડતા ઢોરો માટેની કડક આલોચના બાદ રાજ્‍ય સરકાર એકશનમાં આવી ચૂકી હતી. તાકીદે કેબિનેટ મીટિંગ બોલાવીને રાજ્‍યભરમાં રખડતા ઢોરો વિરૂધ્‍ધ કામગીરી કરવામાં દરેક મ્‍યુનિસિપલ અને નગરપાલિકાઓને ફરમાન કરવામાં આવ્‍યું હતું તે અંતર્ગત વલસાડ નગરપાલિકા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે બે એન.જી.ઓ.ને કામગીરી સોંપી છે. પ્રાણી ફાઉન્‍ડેશન અને અગ્નિવિર ગૌરક્ષક સમિતિ શહેરમાં રખડતા, ટ્રાફિક જામ કરતા અને અકસ્‍માતો સર્જતા રખડતા ઢોરોને પકડી પકડી પાંજરાપોળમાં શિફટ કરશે તે અન્‍વયે આજે 10 જેટલા રખડતાઢોરને શિફટ કરાયા હતા. પાલિકાએ પશુ માલિકોને જાહેર અપીલ કરી છે કે તમારા ઢોર તમારા કબજામાં રાખો, છૂટા મુકી દેશો તો તેની વિરૂધ્‍ધ પાલિકા કાર્યવાહી કરશે.

Related posts

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment