March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં આજથી રિધ્‍ધિ સિધ્‍ધિના દાતા દેવતા ગણેશજીના મહામહોત્‍સવનો પ્રારંભ

છેલ્લા અઠવાડિયાથી લઈ આજદિન સુધી હજારો ગણેશ મૂર્તિઓની ભાવિકોએ વાજતે ગાજતે પધરામણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ભારતના સનાતન ધર્મનીઆસ્‍થા સાથે સંકલાયેલા રિધ્‍ધિ-સિધ્‍ધિના દાતા દેવતા એવા ગણેશજીના મહામહોત્‍સવનો શનિવારથી ભવ્‍ય પ્રારંભ થશે. દશ દિવસ ચાલનારા ગણેશ મહોત્‍સવની પૂર્વ તૈયારીઓ ભાવિકો, ગણેશ ભક્‍તોએ અઠવાડીયાથી આરંભી દીધી છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના પુણ્‍યશાળી દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ગણેશજીના મહા મહોત્‍સવનો શુભારંભ થશે.
ગુજરાત, મહારાષ્‍ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્‍સવની ઉજવણીની આતુરતા ગણેશ ભક્‍તો મહિનાઓ પહેલાથી કરતા હોય છે. છેલ્લા અઠવાડિયાથી નયનરમ્‍ય કલાત્‍મક ગણેશ મૂર્તિઓની પધરામણીઓ શરૂ થઈ ગઈ છે. સુંદર રીતે સજાવેલ સેંકડો ગણેશ પંડાલોમાં બાપ્‍પાની વિધિવત સ્‍થાપના થશે અને દશ દિવસ અનંત ચૌદશ સુધી દરરોજ આરતી, પૂજા, અર્ચના ગણેશ ભક્‍તો તન મનથી કરશે. ગણેશ સ્‍થાપના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસની પરંપરા છે તે મુજબ ત્‍યારબાદ ગણેશજીની મૂર્તિઓનું ભાવિક ભક્‍તો, નદી, તળાવ, કે દરીયામાં અશ્રુભીની આંખે બાપ્‍પાની મૂર્તિઓનું વિસર્જન કરશે. અગલે વરસ લૌકરીયા કહી બાપ્‍પાને ભાવભીની વિદાય અપાશે.

Related posts

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

vartmanpravah

દમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડી

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

Leave a Comment