પ્રદેશના થયેલા અકલ્પનિય વિકાસ પાછળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્ટિનો રહેલો ફાળોઃ પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે લોકોમાં સ્વયંભૂ સેવા સમર્પણની ભાવના જોવા મળી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્યવિધાતા બનેલા શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એન.સી.પી.ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે પ્રદેશના થયેલા અકલ્પનિય વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્ટિ રહેલી છે. તેમના જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે તેમના નિરોગી જીવન અનેદીર્ઘાયુની કામના કરી હતી.
દમણવાડા ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, પ્રદેશ એન.સી.પી. ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટીના અધ્યક્ષ શ્રી ફૈયાઝભાઈ વગેરે પણ વિતરણ કાર્યમાં જોડાયા હતા.