Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિનો રહેલો ફાળોઃ પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે લોકોમાં સ્‍વયંભૂ સેવા સમર્પણની ભાવના જોવા મળી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યવિધાતા બનેલા શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એન.સી.પી.ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈના જણાવ્‍યા પ્રમાણે પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિ રહેલી છે. તેમના જન્‍મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તેમના નિરોગી જીવન અનેદીર્ઘાયુની કામના કરી હતી.
દમણવાડા ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, પ્રદેશ એન.સી.પી. ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટીના અધ્‍યક્ષ શ્રી ફૈયાઝભાઈ વગેરે પણ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

Related posts

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment