October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

 

  • ભારતની વસ્તી પ્રમાણે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશેઃ વૈજ્ઞાનિક અધિકારી

  • વિવિધ સ્પર્ધામાં કુલ 638 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 49 વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર-ઈનામથી નવાજ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 29:
 જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)ના ઉપક્રમે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE), ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 22.08.2022 થી 28.08.2022 સુધી આઈકોનીક વીકની ઉજવણી કરવામાં આવી હતી. અંતિમ દિવસે તા. 28 ઓગસ્ટના રોજ ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કાકરાપારના વૈજ્ઞાનિક અધિકારીશ્રી આર. બી. પાટીલનું “ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમ અને પરમાણુ ઊર્જાના ઉત્પાદનની પ્રક્રિયા” વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું હતું.

વૈજ્ઞાનિક અધિકારી આર.બી.પાટીલે જણાવ્યું કે, ફ્રાંસમાં 78% વીજળી પરમાણુ ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. ભારતમાં 3.7% વીજળી પરમાણુ ઉર્જા દ્વારા પ્રાપ્ત થાય છે. પૃથ્વીમાં 30 થી 50 વર્ષ ચાલે એટલુ જ તેલ, કોલસો ઉપલબ્ધ છે ત્યારે કોઈપણ એક ઉર્જા સ્ત્રોત દ્વારા વીજળીની સમસ્યાનું સમાધાન મળશે નહીં. હાલમાં કોલસો ભારતમાં વીજળી ઉત્પન્ન કરવા માટે મોટો ફાળો આપે છે તેનાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે. ભારતની વસ્તી પ્રમાણે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા આગામી સમયમાં પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સામાન્ય રીતે યુરેનિયમ જેવા ભારે પરમાણુ પર ન્યૂટ્રોનનો મારો ચલાવીને પરમાણુ વિખંડનની પ્રક્રિયા દ્વારા ખુબ જ વિશાળ માત્રામાં (200 MeV) ઉર્જા પેદા થાય છે. એક કિલો કોલસામાંથી 3 kwh પ્રાપ્ત થાય છે જ્યારે 1 કિલો યુરેનિયમમાંથી 50000 kwh ઉર્જા મળે છે. જે પર્યાવરણને કોઈપણ જાતનું નુકશાન થતું નથી. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી.
તા.27.08.2022 ના રોજ પરમાણુ ઉર્જા પર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અને તેની ઉપયોગિતા વિષે સમજ આપી જણાવ્યું કે, વિશ્વને સૌ પ્રથમ ઋષિ કણાદે પરમાણુનો ખ્યાલ આપ્યો હતો. તેઓ “પરમાણુ સિદ્ધાંતના જનક” તરીકે આદરવામાં આવે છે. ડો. હોમી જહાંગીર ભાભા જે ભારતના “પરમાણુ કાર્યક્રમના પિતા” ગણાય છે.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સપ્તાહની ઉજવણી દરમ્યાન નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી સ્પર્ધામાં કુલ 638 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પરમાણુ ઉર્જાનું મહત્વ સમજયા હતા.
સમાપન કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અધિકારી શ્રી આર બી પાટીલ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને ડો. ઇન્દ્ર વત્સ, ક્યુરેટર ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરના હસ્તે 49 સ્પર્ધકોને પ્રમાણપત્ર અને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન અધિકારીશ્રી અશોક જેઠેના માર્ગદર્શનમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરની સમગ્ર ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

Leave a Comment