Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપી

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

  • પશુપાલકો નહીં ચેતશે તો ફોજદારી કાર્યવાહી પણ કરાશેઃ ચીફ ઓફિસર

  • રખડતા પશુને પકડી આર.એફ.ડી.આઈ ચીપ પણ લગાવાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 29: ઉમરગામ શહેરમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામ અને નાગરિકોના જીવને જોખમ હતું. જેથી ઘણા લાંબા સમયથી રખડતા ઢોરને પકડવા માટે માંગ ઉઠી હતી. જેથી ઉમરગામ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા. જાહેર રસ્તા પર ઢોરના અડીંગાના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો બનાવો પણ વધી રહ્યા હતા. જેથી ઉમરગામ પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાતા તા. 29 ઓગસ્ટે 6 રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ અંગે ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટ અને સરકારશ્રીના આદેશ અન્વયે હાથ ધરાયેલી આ કામગીરી હવે સતત ચાલુ રહેશે. રખડતા ઢોરને પકડી આર.એફ.ડી.આઈ ચીપ લગાવવામાં આવી રહી છે. પશુપાલકોને વિનંતી છે કે, તમારા રખડતા ઢોરને જાહેર રસ્તા પર નહીં રાખી તમારા કબજામાં રાખો, નહીંતર રખડતા પશુઓને પકડી પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ પાલિકાને ફરજ પડશે. જેની તમામ પશુપાલકોએ નોંધ લેવી.

Related posts

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment