April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપી

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

  • પશુપાલકો નહીં ચેતશે તો ફોજદારી કાર્યવાહી પણ કરાશેઃ ચીફ ઓફિસર

  • રખડતા પશુને પકડી આર.એફ.ડી.આઈ ચીપ પણ લગાવાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 29: ઉમરગામ શહેરમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામ અને નાગરિકોના જીવને જોખમ હતું. જેથી ઘણા લાંબા સમયથી રખડતા ઢોરને પકડવા માટે માંગ ઉઠી હતી. જેથી ઉમરગામ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા. જાહેર રસ્તા પર ઢોરના અડીંગાના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો બનાવો પણ વધી રહ્યા હતા. જેથી ઉમરગામ પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાતા તા. 29 ઓગસ્ટે 6 રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ અંગે ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટ અને સરકારશ્રીના આદેશ અન્વયે હાથ ધરાયેલી આ કામગીરી હવે સતત ચાલુ રહેશે. રખડતા ઢોરને પકડી આર.એફ.ડી.આઈ ચીપ લગાવવામાં આવી રહી છે. પશુપાલકોને વિનંતી છે કે, તમારા રખડતા ઢોરને જાહેર રસ્તા પર નહીં રાખી તમારા કબજામાં રાખો, નહીંતર રખડતા પશુઓને પકડી પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ પાલિકાને ફરજ પડશે. જેની તમામ પશુપાલકોએ નોંધ લેવી.

Related posts

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment