Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

વાપી ગણેશમય બન્‍યુ છે : પંડાલોમાં બાપા મોરીયાની આસ્‍થાપૂર્વક સેવા પૂજા અર્ચનાનો ભક્‍તિ માહોલ છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગણેશ ચતુર્થીના શુભ દિનથી ગણેશ મહામહોત્‍સવનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે.વાપીમાં સોસાયટીઓ, મોહલ્લા, ફળીયાઓમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્‍નહર્તાની 500 ઉપરાંત મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. મહાપ્રસાદ, ભજનો, સવાર-સાંજ આરતી પૂજા ભાવિકા આસ્‍થા સભર વાતાવરણમાં કરી રહ્યા છે ત્‍યારે રાજ્‍યના નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુરૂવારે રાત્રે વાપી 10 ઉપરાંત ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. જ્‍યાં આરતી સમય હતો ત્‍યાં પૂજા કરી શ્રીજીના આશિર્વાદ મેળવ્‍યા હતા.
વાપી વિસ્‍તારમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે જે પૈકી દોઢ દિવસીય ગણેશજીની ગઈકાલ ગુરૂવારે વિસર્જીત કરાયા હતા. આવતીકાલ શનિવારે ત્રીદિવસીય સ્‍થાપના થયેલ શ્રીજીની મૂર્તિઓનું ભાવિકો દ્વારા વિસર્જન કરાશે. અનંત ચૌદશ સુધી આ મહોત્‍સવ ચાલશે. શ્રી કનુભાઈ દેસાઈએ સુલપડમાં ન.પા. સેવક દ્વારા બેસાડેલ ગણેશજીની આરતી પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. ગુરૂવારે તેઓએ 10 ઉપરાંત પંડાલોની મોડી રાત સુધી મુલાકાત લીધી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

Leave a Comment