March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પીસ પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું ભવ્‍ય આયોજન કરાયું હતું. જેમાં વાપી વલસાડની 20 જેટલી શાળાએ ભાગ લીધો હતો. આ કોન્‍ટેસ્‍ટ સમર્પણ જ્ઞાન સ્‍કૂલ અને લાયન્‍સ ઓફ વાપી તરંગીનીના સંયુક્‍ત ઉપક્રમે યોજવામાં આવ્‍યો હતો. જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર લાયન દિપક પખાલે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથે ફર્સ્‍ટ વિ.ડી.જી. લાયન પરેશ પટેલ, સેકન્‍ડ વિ.ડી.જી. લાયન મોના દેસાઈ, પી.ડી.જી. લાયન સંજીવ કેસરવાની, આર.સી. લાયન લીલા બોરસે, ઝેડ.સી. લાયન કે.ટી. દિવાકરન નાંબિયાર, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપીના પ્રેસિડેન્‍ટ લાયન રાકેશ નાન્‍દ્રે, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી તરંગીનીના પ્રેસિડેન્‍ટ લાયન પાર્વતી પીઠાની, શાળાના શિક્ષકગણ, ભાગ લેનાર શાળાના લકાશિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કોન્‍ટેસ્‍ટનું આયોજન છેલ્લા દસ વર્ષથી શાળામાં યોજાય છેઅને વાપી વલસાડની ઘણી બધી શાળાઓ ભાગ લઈ શાળા પરિવારના ઉત્‍સાહમાં વધારો કરે છે. દર વર્ષે કોન્‍ટેસ્‍ટની અલગ અલગ થીમ આપવામાં આવે. આ વર્ષે કોન્‍ટેસ્‍ટની થીમ ‘‘ડેર તું ડ્રિમ” રખાઈ હતી. જેમાં બાળકોએ વાસ્‍તવિકતાથી આગળ વિચારવાની અને સારા ભવિષ્‍યની ઈચ્‍છા દર્શાવતા સુંદર ભાવાત્‍મક ચિત્રો બનાવ્‍યા હતા. આ ચિત્રોમાં કરૂણા, દયાભાવ, શાંતિ, પ્રેમ અને એકતાના ભાવ કલાત્‍મક રીતે દર્શાવ્‍યા હતા. આ સ્‍પર્ધા વયજૂથ પ્રમાણે લેવાઈ, જેમાં 11 વર્ષ, 12 વર્ષ અને 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા થનાર બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક વડે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્‍સાહિત પણ કરાયા. આ સ્‍પર્ધાના નિર્ણાયક નિધિ વાણિયા અને દિપક પટેલ હતા. સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ અને સ્‍કૂલ ચેઅર પર્સન લાઈન હીના પટેલે પધારેલા મહેમાન અને ભાગ લેનાર શાળાનો ધન્‍યવાદ પાઠવ્‍યો હતો.

Related posts

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

Leave a Comment