પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાના સપનાને સાકાર કરવા એક પછી એક તમામ પડાવ પાર કરી રહ્યું હોવાની થતી પ્રતિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોચિન ખાતે ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતની પણ મુલાકાત લીધી હતી અને સંરક્ષણ ક્ષેત્રે દેશને નવી તાકાત આપનાર યુદ્ધ જહાજ વિક્રાંતને નજરે નિહાળવાનો લ્હાવો પણ લીધો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાના સપનાને સાકાર કરવા એક પછી એક તમામ પડાવ પાર કરી રહ્યું હોવાનું પણ પ્રતિત થયું હતું.