જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી પહોંચી પ્રાકળતિક ખેતીનો મહિમા સમજાવ્યો
ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવ્યા, જ્યારે ચાલુ વર્ષે 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવ્યા
સંકલનઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યભરમાં પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકળતિક ખેતીનો વ્યાપ ખેતર ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકળતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત ગત વર્ષમાં જિલ્લામાં 3196 તાલીમ કાર્યક્રમો યોજી 92326 ખેડૂતોને પ્રાકળતિક ખેતીની માહિતી આપી ખરા અર્થમાં ખેડૂતોને ‘જગતના તાત’ બનાવવા માટે બીડું ઝડપ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાકળતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાઅમલમાં છે. જે યોજના મુજબ દર મહિને એક દેશી ગાય દીઠ 900 રૂપિયા નિભાવ ખર્ચ આપવામાં આવે છે, જે સંદર્ભે વલસાડ જિલ્લામાં અંદાજિત 3000 દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રતિમાસ 900 રૂપિયા દીઠ સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24 દરમિયાન વલસાડ જિલ્લામાં 18449 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેઓ તેમની અંદાજે 19277 એકર જમીનમાં હાલ પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેર મુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવી પ્રાકળતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જે ચાલુ વર્ષે સૂક્ષ્મ આયોજન કરી 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવી પ્રાકળતિક ખેતીની માહિતી આપવામાં આવી રહી છે.
હાલ ખરીફ ઋતુ ચાલી રહી હોય ખરીફ ઋતુ દરમિયાન જિલ્લામાં દરેક પંચાયત આવરી લઈ 1560 જેટલી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી 350 જેટલી તાલીમ જૂન મહિનામાં પૂરી કરવામાં આવી છે અને જુલાઈ મહિનામાં 600 ઉપરાંત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક પંચાયતને આવરી લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
ચાલું વર્ષે રાજ્ય સરકાર દ્વારા પ્રાકળતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનીયોજના અમલગગગમાં મૂકી છે જે થકી જે ખેડૂતો પાસે દેશી ગાય ન હોય તો તેઓ ગૌશાળા તેમજ ખેડૂત ગ્રુપો દ્વારા બનાવેલા જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકળતિક ખેતી કરી શકે છે. જે સંદર્ભે વલસાડ જિલ્લામાંથી વલસાડ તાલુકાના કોચવાડા ગામના ખેડૂત હરેન્દ્રસિંહ ઠાકોરને રાજ્યકક્ષાનો એવોર્ડ પણ એનાયત કરાયો છે જે જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકળતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકળતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે.