Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ચાણકય દ્વારા કહેવામાં આવ્‍યું છે કે ,
शिक्षक कभी साधारण नही होता, प्रलय और निर्माण उनकी गोदमें पलते है ।
આ ઉક્‍તિને સાર્થક કરતા લાયન્‍સ ક્‍લબ ઓફ ભિલાડ દ્વારા 5મી સપ્‍ટેમ્‍બરે શિક્ષક દિનના અવસર પર શિક્ષકો તેમજ આચાર્યોનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાંઆવ્‍યું.
લાયન્‍સ ક્‍લબ ઓફ ભિલાડ આરાધનાના ક્રિષ્‍નાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અધ્‍યક્ષ સોનલબેન પરમાર દ્વારા લાડલી હોટલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ શ્રીનીવસૂલુ મિત્તા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેષભાઈ પટેલ તેમજ સોહમભાઈ દેસાઈ રહ્યા હતા. આ કાર્યક્રમમાં મિતેષ પટેલ, કમલેશ ચૌહાણ, કળણાલ પટેલ, ચેતન પટેલ, દિપક પટેલ, ક્રિષ્‍ના પરમાર, મેઘા પાંડે, અશ્વિન ટંડેલ, યોગેશ પટેલ, તોહલ પટેલ, પુનમ પંચાલ, સંગીતા દેસાઈ, નરેન્‍દ્ર ટંડેલ, તેજલ પટેલ, સેજલ ઠાકોર તેમજ નેહા પટેલ જેવા શિક્ષકોની રાજ્‍ય તેમજ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્‍માન પત્ર રૂપી શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું તેમજ સરોણ કેન્‍દ્રના સી.આર.સી. સોનલબેન દ્વારા તેમના કેન્‍દ્રના આચાર્યોનું પણ શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું.
બી.આર.સી. કો-ઓર્ડિનેટરે શિક્ષકોને શિક્ષકદિન સંબંધી પ્રેરણાદાયક પ્રવચન આપ્‍યું, શ્રીનીવસૂલુ મિત્ત દ્વારા પણ શિક્ષકો જ બાળકોના પાયો ઘડનાર છે તેમ સંબોધી સન્‍માનીય શિક્ષકોને અભિનંદન આપ્‍યા તેમજ સોહમભાઈ દેસાઈ દ્વારા ગુરુનો અર્થ સમજાવી અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર તમામ શિક્ષકોને સંબોધી અભિનંદન આપ્‍યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સી.આર.સી. કો-ઓર્ડિનેટર જગદીશભાઈટંડેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પીનલભાઈ તેમજ અર્પિતા મેકવાણએ પણ સહયોગ આપ્‍યો હતો. ક્રિષ્‍નાબેન દ્વારા આવેલ મહેમાનોની આભારવિધિ કરી સૌ સાત્‍વિક ભોજન લઈ છૂટા પડ્‍યા હતા.

Related posts

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment