April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

લગભગ પાંચ હજાર જેટલા લોકોએ લીધેલો ભાગઃ નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સરપંચો તથા વોર્ડ મેમ્‍બર અને કાર્યકર્તા, એનજીઓ, પ્રવાસીઓ વગેરેએ સ્‍વયંભૂ જોડાઈ સફળ બનાવેલું અભિયાન: 3 ટન એકત્ર કરાયેલો કચરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણમાં આજે સમુદ્ર તટની સ્‍વચ્‍છતા માટે શરૂ કરાયેલા અભિયાને જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર દેશની સાથે આજે દમણમાં દરિયા કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં જિલ્લા પંચાયત, વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, વિવિધ સેવા સંગઠનો, સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, ઔદ્યોગિક સંગઠનો તથા દમણની સહેલગાહે આવેલા પ્રવાસીઓ પણ સ્‍વૈચ્‍છિક રીતે જોડાયા હતા.
આજે સવારે લગભગ 6:30 કલાકે નાની દમણ બીચથી કડૈયા સુધીના સુધીના દરિયા કિનારાની સફાઈ માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં વિવિધ વિભાગોને કુલ 23 સ્‍પોટની ફાળવણી કરવામાં આવી હતી અને આ સફાઈ કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસરોની પણ નિયુક્‍તિ કરાઈ હતી. સફાઈ અભિયાન દરમિયાન 3 ટન જેટલો કચરોકૂડો એકત્ર કરાયો હતો.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, આરોગ્‍ય સચિવ શ્રીમતી એ. મુથમ્‍મા, ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિતના અધિકારીઓએ પણ સ્‍વચ્‍છતા અભિયાનનું નિયમન કર્યું હતું.

Related posts

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

દાનહની કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિના નામે કરવાના કૌભાંડમાં સેલવાસ અને ખાનવેલના પૂર્વ મામલતદાર શર્મા અને ભંડારીના લંબાયેલા પોલીસ રિમાન્‍ડઃ કૌભાંડોના સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ તંત્રની મથામણ

vartmanpravah

Leave a Comment