Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ વામન જયંતીના પાવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં સમાજના 100થી વધુ જનોઈધારી બાળકો અને પુરુષોએ ભાગ લઈ વિધિવત જનોઈ બદલી હતી.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આજથી 72 વર્ષ પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા 15 વર્ષ થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આ કાર્યક્રમ યોજી રહ્યું છે. દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. પાછલા બે વર્ષ કોરોનાકાળને કારણે આ કાર્યક્રમ થઈ શક્‍યો ન હતો. જો કે આ વર્ષે કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

Leave a Comment