Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

ધરમપુર સજની બરડા ગામે ખેતરમાં 50 વર્ષિય ખેડૂતનું વિજળી પડતા મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: હવામાન ખાતાની આગાહી તેમજ બંગાળ ખાડીમાં અપર સરક્‍યુલેટ ક્રિએટ થતા આજે વાપી સહિત વલસાડજિલ્લામાં ગાજવીજના ગગડાટ સાથે બપોરે સતત બે કલાક વરસાદ પડયો હતો. તોફાની વરસાદની સાથે સાથે અંધારપટ પણ છવાઈ ગયો હતો. સમગ્ર જગ્‍યાએ દોડતું જનજીવન થંભી ગયું હતું. તોફાની વરસાદ અને ભારે વિજળીના ખાટકાથી આકાશ ગાજતું રહ્યું હતું. તેની કારમી અસર ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં ગયેલ 50 વર્ષિય ખેડૂત ઉપર વિજળી પડતા ઘટના સ્‍થળે જ મોત થવા પામ્‍યું હતું.
ગુરૂવારે બપોર પછી વાપી સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ અતિ તોફાની બેટીંગ કરી હતી. રોડ, રસ્‍તા, નાળા તથા નિચાણવાળા વિસ્‍તારોમાં વાપીમાં પાણી ભરાઈ ગયા હતા. રેલનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ચૂકી હતી. તો ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં નિંદામણ કરવા ગયેલ 50 વર્ષિય ખેડૂત સુરકાવ ફળીયામાં રહેતા રાજીરામ બચુભાઈ સુરઠા પત્‍ની નંદુબેન સાથે ખેતરમાં હતા ત્‍યારે ભારે વરસાદમાં ઝાડની ઓથ લીધી હતી ત્‍યારે અચાનક આકાશી વિજળી ઝાડ ઉપર પડતા રાજીરામનું ઘટના સ્‍થળે મોત થયું હતું. ગ્રામજનો પીકઅપમાં તેમને ખેતરમાંથી સ્‍ટેટ હોસ્‍પિટલમાં લવાયા હતા. જ્‍યાં તેમને મૃત જાહેર કરાયા હતા. વરસાદે સર્જેલી ખાનાખરાબીની અસર સજની બરડા ગામે વર્તાઈ હતી. સમગ્ર જિલ્લામાં બે કલાકમાં બે થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.

Related posts

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

Leave a Comment