Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16
દાદરા નગર હવેલી કલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા ખરડપાડા પંચાયત ખાતે તા.18મી ડિસેમ્‍બરના શનિવારે સવારે 10:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા દરમ્‍યાન એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વારસાઈ માટે અરજીઓ, વાર્ષિક આવકના દાખલા, જાતિ અને ડોમિસાઇલ, આધારકાર્ડ માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. એની સાથે માપણી માટે નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ઉપરાંત લગ્નની નોંધણી, રેશનકાર્ડ માટેની અરજીઓ અને પશુ ખરીદી માટે ટર્મ લોનની અરજીઓ તથા વિધવા પેન્‍શન અંગેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે. આ દરેક માટેની અરજીઓ સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:30 વાગ્‍યા સુધી સ્‍વીકારવામાં આવશે. આ શિબિરમાં પીડબ્‍લ્‍યુડી વિભાગ અને વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહેશે. આ શિબિરમાં નરોલી પટેલાદના લોકો પણ લાભ લઈ શકશે.
ઉપરોક્‍ત સેવાઓમાં વિવાહ નોંધણીને આ શિબિરમાં લેવામાં આવી છે. કારણ કે, આદિવાસી વિસ્‍તારના કેટલાક લોકો લગ્ન કર્યા બાદ નોંધણી નહીં કરાવતા હોવાથી તેઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવા પડે છે જેને ધ્‍યાનમાં રાખતાપંચાયતના લોકોને અનુરોધ છે કે આ સેવાનો વધુમાં વધુ લાભ લે.

Related posts

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

Leave a Comment