February 5, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16
દાદરા નગર હવેલી કલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા ખરડપાડા પંચાયત ખાતે તા.18મી ડિસેમ્‍બરના શનિવારે સવારે 10:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા દરમ્‍યાન એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વારસાઈ માટે અરજીઓ, વાર્ષિક આવકના દાખલા, જાતિ અને ડોમિસાઇલ, આધારકાર્ડ માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. એની સાથે માપણી માટે નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ઉપરાંત લગ્નની નોંધણી, રેશનકાર્ડ માટેની અરજીઓ અને પશુ ખરીદી માટે ટર્મ લોનની અરજીઓ તથા વિધવા પેન્‍શન અંગેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે. આ દરેક માટેની અરજીઓ સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:30 વાગ્‍યા સુધી સ્‍વીકારવામાં આવશે. આ શિબિરમાં પીડબ્‍લ્‍યુડી વિભાગ અને વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહેશે. આ શિબિરમાં નરોલી પટેલાદના લોકો પણ લાભ લઈ શકશે.
ઉપરોક્‍ત સેવાઓમાં વિવાહ નોંધણીને આ શિબિરમાં લેવામાં આવી છે. કારણ કે, આદિવાસી વિસ્‍તારના કેટલાક લોકો લગ્ન કર્યા બાદ નોંધણી નહીં કરાવતા હોવાથી તેઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવા પડે છે જેને ધ્‍યાનમાં રાખતાપંચાયતના લોકોને અનુરોધ છે કે આ સેવાનો વધુમાં વધુ લાભ લે.

Related posts

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

Leave a Comment