April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: નાની દમણનાખારીવાડી, લવલી વાઈન શોપની સામે એક અંદાજીત 50 થી 55 વર્ષની વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં હોવાની પોલીસને ખબર મળી હતી જેને પોલીસે મરવડ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્‍યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા લાશને મરવડ હોસ્‍પિટલના શબ ઘરમાં રાખવામાં આવેલ હોવાની જાણકારી પોલીસે આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.08-09-2022ના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં જાણકારી મળી હતી કે, ખારીવાડ, લવલી વાઈન શોપની સામે અંદાજીત 50 થી 55 વર્ષની એક વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં પડી છે. જેની સારવાર માટે સરકાર હોસ્‍પિટલ, મરવડ નાની દમણ મોકલી દેવાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે અજાણી વ્‍યક્‍તિને મૃત જાહેર કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મૃતકની લાશને સરકારી હોસ્‍પિટલ, મરવડના શબ ઘરમાં રાખવામાં આવેલ છે. જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ મૃતકની ઊંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધાના અને શરીર ઉપર બ્‍લુ તથા સફેદ રંગનો શર્ટ અને કોફી રંગની પેન્‍ટ પહેરેલ છે. આ મૃત વ્‍યક્‍તિના વાલી-વારસો, સગાં-સંબંધીઓને અજાણ મૃતક વ્‍યક્‍તિની ઓળખ કરીને નાની દમણ પોલીસ સ્‍ટેશનના લેન્‍ડ લાઈન નં.(0260) 2254999, (0260)2250105 અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260)2220102 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

Leave a Comment