September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: નાની દમણનાખારીવાડી, લવલી વાઈન શોપની સામે એક અંદાજીત 50 થી 55 વર્ષની વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં હોવાની પોલીસને ખબર મળી હતી જેને પોલીસે મરવડ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્‍યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા લાશને મરવડ હોસ્‍પિટલના શબ ઘરમાં રાખવામાં આવેલ હોવાની જાણકારી પોલીસે આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.08-09-2022ના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં જાણકારી મળી હતી કે, ખારીવાડ, લવલી વાઈન શોપની સામે અંદાજીત 50 થી 55 વર્ષની એક વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં પડી છે. જેની સારવાર માટે સરકાર હોસ્‍પિટલ, મરવડ નાની દમણ મોકલી દેવાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે અજાણી વ્‍યક્‍તિને મૃત જાહેર કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મૃતકની લાશને સરકારી હોસ્‍પિટલ, મરવડના શબ ઘરમાં રાખવામાં આવેલ છે. જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ મૃતકની ઊંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધાના અને શરીર ઉપર બ્‍લુ તથા સફેદ રંગનો શર્ટ અને કોફી રંગની પેન્‍ટ પહેરેલ છે. આ મૃત વ્‍યક્‍તિના વાલી-વારસો, સગાં-સંબંધીઓને અજાણ મૃતક વ્‍યક્‍તિની ઓળખ કરીને નાની દમણ પોલીસ સ્‍ટેશનના લેન્‍ડ લાઈન નં.(0260) 2254999, (0260)2250105 અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260)2220102 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment