October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: નાની દમણનાખારીવાડી, લવલી વાઈન શોપની સામે એક અંદાજીત 50 થી 55 વર્ષની વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં હોવાની પોલીસને ખબર મળી હતી જેને પોલીસે મરવડ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્‍યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા લાશને મરવડ હોસ્‍પિટલના શબ ઘરમાં રાખવામાં આવેલ હોવાની જાણકારી પોલીસે આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.08-09-2022ના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં જાણકારી મળી હતી કે, ખારીવાડ, લવલી વાઈન શોપની સામે અંદાજીત 50 થી 55 વર્ષની એક વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં પડી છે. જેની સારવાર માટે સરકાર હોસ્‍પિટલ, મરવડ નાની દમણ મોકલી દેવાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે અજાણી વ્‍યક્‍તિને મૃત જાહેર કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મૃતકની લાશને સરકારી હોસ્‍પિટલ, મરવડના શબ ઘરમાં રાખવામાં આવેલ છે. જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ મૃતકની ઊંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધાના અને શરીર ઉપર બ્‍લુ તથા સફેદ રંગનો શર્ટ અને કોફી રંગની પેન્‍ટ પહેરેલ છે. આ મૃત વ્‍યક્‍તિના વાલી-વારસો, સગાં-સંબંધીઓને અજાણ મૃતક વ્‍યક્‍તિની ઓળખ કરીને નાની દમણ પોલીસ સ્‍ટેશનના લેન્‍ડ લાઈન નં.(0260) 2254999, (0260)2250105 અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260)2220102 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

Leave a Comment