Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

પૂજારી નિલેશ ઓઝા પ્રતિ વર્ષે ચારધામની ટુરનું આયોજન કરતા રહેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરના પૂર્વ પૂજારી વાપીથી ચારધામની યાત્રા લઈ નિકળ્‍યા હતા. ગંગોત્રી પહેલા રોકાણ કર્યું હતું ત્‍યાં હૃદય રોગનો હુમલો થતા તેમનું નિધન થયું હતું. જેને લઈ પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરમાં લાંબો સમય પૂજારી તરીકે ફરજ બજાવેલા પૂર્વ પૂજારી નિલેશ ઓઝા છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રાનું આયોજન કરતા રહેલા તેમજ નિલકંઠ ટ્રાવેલ્‍સ ચલાવતા હતા. આ વર્ષે વાપીથી 6 સપ્‍ટેમ્‍બરના રોજ ચારધામની યાત્રા કરવા વાપીથી 35 યાત્રિકો સાથે નિકળ્‍યા હતા. યાત્રામાં ગંગોત્રીથી 20 કિલોમીટર પહેલા યાત્રિકોએ રોકાણ કર્યું હતું ત્‍યાં નિલેશભાઈને અચાનક છાતીનો દુખાવો થતા હોસ્‍પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેમનું નિધન થયું હતું. સ્‍વજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા નિકળી ગયા હતા. જાણકારી મુજબ તેમની અંતિમ વિધી પણ ત્‍યાં જ કરવામાં આવનાર છે. મંદિરની પૂજા છોડયા બાદ તેઓ ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતા હતા. નિલેશભાઈના અવસાનને લઈ વાપી બ્રહ્મ સમાજમાં આઘાતની લાગણી પ્રસરીગઈ હતી.

Related posts

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

Leave a Comment