Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

પૂજારી નિલેશ ઓઝા પ્રતિ વર્ષે ચારધામની ટુરનું આયોજન કરતા રહેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરના પૂર્વ પૂજારી વાપીથી ચારધામની યાત્રા લઈ નિકળ્‍યા હતા. ગંગોત્રી પહેલા રોકાણ કર્યું હતું ત્‍યાં હૃદય રોગનો હુમલો થતા તેમનું નિધન થયું હતું. જેને લઈ પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરમાં લાંબો સમય પૂજારી તરીકે ફરજ બજાવેલા પૂર્વ પૂજારી નિલેશ ઓઝા છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રાનું આયોજન કરતા રહેલા તેમજ નિલકંઠ ટ્રાવેલ્‍સ ચલાવતા હતા. આ વર્ષે વાપીથી 6 સપ્‍ટેમ્‍બરના રોજ ચારધામની યાત્રા કરવા વાપીથી 35 યાત્રિકો સાથે નિકળ્‍યા હતા. યાત્રામાં ગંગોત્રીથી 20 કિલોમીટર પહેલા યાત્રિકોએ રોકાણ કર્યું હતું ત્‍યાં નિલેશભાઈને અચાનક છાતીનો દુખાવો થતા હોસ્‍પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેમનું નિધન થયું હતું. સ્‍વજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા નિકળી ગયા હતા. જાણકારી મુજબ તેમની અંતિમ વિધી પણ ત્‍યાં જ કરવામાં આવનાર છે. મંદિરની પૂજા છોડયા બાદ તેઓ ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતા હતા. નિલેશભાઈના અવસાનને લઈ વાપી બ્રહ્મ સમાજમાં આઘાતની લાગણી પ્રસરીગઈ હતી.

Related posts

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment