Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

ફરિયાદીને વન વિભાગે કહ્યું કે પાંજરુ તમે લાવો અમારી પાસે સાધનો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડના તિઘરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી ખુંખાર દિપડાનો આતંક છવાયેલો છે. રાત્રે ત્રાટકી બકરાઓનો શિકાર કરી રહ્યો છે તેની જાણ વન વિભાગને કરવા છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી તેથી સમગ્ર ગામમાં બયનો માહોલ છવાયેલો રહે છે.
વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા અંકિતભાઈ આહિરના વાડામાં બે દિવસ પહેલા દિપડો ત્રાટક્‍યો હતો. બે બકરાનો શિકાર કરેલો તેથી અંકિતભાઈએ વન વિભાગને પાંજરુ મુકવાની ફરિયાદ કરી જાણ કરી હતી. ગતરોજ રાત્રે ફરી બે વાગ્‍યાના સુમારે દિપડો આવ્‍યો હતો. સમયસર પરિવાર જાગી જતા ભાગી છુટયો હતો પણ એક બકરાને ઘાયલ કર્યુ હતું તેથી આજે સોમવારે અંકિતભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વિભાગે આવી દિપડાના પગલા વગેરેની તપાસ કરી પણ પાંજરાની વ્‍યવસ્‍થા કરી નહી અને અંકિતભાઈને જણાવ્‍યું હતું કે, અમારી પાસે પાંજરુ લાવવાના સાધનો નથી તમે પાંજરુ લઈ આવો. વન વિભાગના જવાબથી સમગ્ર ગામમાં રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

Leave a Comment