March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

ફરિયાદીને વન વિભાગે કહ્યું કે પાંજરુ તમે લાવો અમારી પાસે સાધનો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડના તિઘરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી ખુંખાર દિપડાનો આતંક છવાયેલો છે. રાત્રે ત્રાટકી બકરાઓનો શિકાર કરી રહ્યો છે તેની જાણ વન વિભાગને કરવા છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી તેથી સમગ્ર ગામમાં બયનો માહોલ છવાયેલો રહે છે.
વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા અંકિતભાઈ આહિરના વાડામાં બે દિવસ પહેલા દિપડો ત્રાટક્‍યો હતો. બે બકરાનો શિકાર કરેલો તેથી અંકિતભાઈએ વન વિભાગને પાંજરુ મુકવાની ફરિયાદ કરી જાણ કરી હતી. ગતરોજ રાત્રે ફરી બે વાગ્‍યાના સુમારે દિપડો આવ્‍યો હતો. સમયસર પરિવાર જાગી જતા ભાગી છુટયો હતો પણ એક બકરાને ઘાયલ કર્યુ હતું તેથી આજે સોમવારે અંકિતભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વિભાગે આવી દિપડાના પગલા વગેરેની તપાસ કરી પણ પાંજરાની વ્‍યવસ્‍થા કરી નહી અને અંકિતભાઈને જણાવ્‍યું હતું કે, અમારી પાસે પાંજરુ લાવવાના સાધનો નથી તમે પાંજરુ લઈ આવો. વન વિભાગના જવાબથી સમગ્ર ગામમાં રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો.

Related posts

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

સેલવાસ કલેક્‍ટર કચેરીના ત્રીજા માળે ફૉલ સિલિંગ તૂટી પડીઃ સદ્‌નશીબેન કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને કાર્યક્ષમ નેતૃત્‍વના કારણે દાનહ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનકોર્પોરેશને સતત બીજા વર્ષે પણ રૂા.105 કરોડનો રળેલો નફો

vartmanpravah

Leave a Comment