Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

ફરિયાદીને વન વિભાગે કહ્યું કે પાંજરુ તમે લાવો અમારી પાસે સાધનો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડના તિઘરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી ખુંખાર દિપડાનો આતંક છવાયેલો છે. રાત્રે ત્રાટકી બકરાઓનો શિકાર કરી રહ્યો છે તેની જાણ વન વિભાગને કરવા છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી તેથી સમગ્ર ગામમાં બયનો માહોલ છવાયેલો રહે છે.
વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા અંકિતભાઈ આહિરના વાડામાં બે દિવસ પહેલા દિપડો ત્રાટક્‍યો હતો. બે બકરાનો શિકાર કરેલો તેથી અંકિતભાઈએ વન વિભાગને પાંજરુ મુકવાની ફરિયાદ કરી જાણ કરી હતી. ગતરોજ રાત્રે ફરી બે વાગ્‍યાના સુમારે દિપડો આવ્‍યો હતો. સમયસર પરિવાર જાગી જતા ભાગી છુટયો હતો પણ એક બકરાને ઘાયલ કર્યુ હતું તેથી આજે સોમવારે અંકિતભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વિભાગે આવી દિપડાના પગલા વગેરેની તપાસ કરી પણ પાંજરાની વ્‍યવસ્‍થા કરી નહી અને અંકિતભાઈને જણાવ્‍યું હતું કે, અમારી પાસે પાંજરુ લાવવાના સાધનો નથી તમે પાંજરુ લઈ આવો. વન વિભાગના જવાબથી સમગ્ર ગામમાં રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો.

Related posts

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment