Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

છેલ્લા ચાર દિવસથી દિવસભર લગાતાર ઝાપટા પડી રહ્યા છે : 100 ટકા ઉપરાંત વરસાદ પડી ચૂક્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. અરબી સાગરમાં લોપ્રેસર સર્જાવાથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હજુ આગામી સમયમાં તોફાની વરસાદ આવી શકે એમ છે.
વર્તમાન ચોમાસામાં વલસાડ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્‍યો છે. વાપીની વાત કરીએ તો વાપીમાં 125 ઈંચ વરસાદ પડી ચૂક્‍યો છે અને આ આંકડો હજુ વધી શકે એમ છે. વાપી સહિત જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે. વધુ વરસાદની આગાહીને પગલે પ્રશાસને માછીમારો માટે ચેતવણી આપી છે કે દરિયામાં જવુ નહીં તેમજ બીજા સલામતિના પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે. જો વરસાદનો મિજાજ બદલાશે નહીં તો આગામી નવરાત્રી મહોત્‍સવ બગાડી શકે તેવો હાલમાં તકાજો છે. સતત વરસી રહેલા વરસાદથી સામાન્‍ય જનજીવન પ્રભાવિત બની રહેલું છે. હાઈવે ઉપરના વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે તો રોજ અપ-ડાઉન કરતો વર્ગ હાલમાં મુશ્‍કેલીમાં મુકાઈ ચૂક્‍યો છે.

Related posts

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

પારડીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જૂની મામલતદાર પાસે ઝાડ ધરાશયી

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment