November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે રખોલી ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસના ઉપલક્ષમાં સરપંચશ્રીમતી ચંદનબેન પટેલના નેતૃત્‍વમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. જેમાં રખોલી ખાડીપાડા નદી કિનારા સાઈટ, રખોલી પુલથી મેઈન રોડની બંને બાજુ તથા રખોલી ભિલોસા કંપની સુધી તથા કરાડ વડપાડા ખાતે સફાઈ કરવામાં આવી હતી.
કરાડ વડપાડા ખાતે જાહેર શૌચાલયની આજુબાજુ પણ સફાઈ કરી સ્‍વચ્‍છ દાદરા નગર હવેલીનો જયઘોષ કરાયો હતો.
આ કાર્યક્રમમાં રખોલી ગ્રામ પંચાયતના સભ્‍યો, પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
દાનહના જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ આજે સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

સરીગામ પંચાયતનુ શાસન અસ્‍થિરતા તરફ: સરપંચ સહદેવ વઘાતના અધ્‍યક્ષતા હેઠળ રજૂ થયેલું બજેટ 9 ની સામે 11 સભ્‍યોની બહુમતીથી નામંજૂર

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment