Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે રખોલી ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસના ઉપલક્ષમાં સરપંચશ્રીમતી ચંદનબેન પટેલના નેતૃત્‍વમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. જેમાં રખોલી ખાડીપાડા નદી કિનારા સાઈટ, રખોલી પુલથી મેઈન રોડની બંને બાજુ તથા રખોલી ભિલોસા કંપની સુધી તથા કરાડ વડપાડા ખાતે સફાઈ કરવામાં આવી હતી.
કરાડ વડપાડા ખાતે જાહેર શૌચાલયની આજુબાજુ પણ સફાઈ કરી સ્‍વચ્‍છ દાદરા નગર હવેલીનો જયઘોષ કરાયો હતો.
આ કાર્યક્રમમાં રખોલી ગ્રામ પંચાયતના સભ્‍યો, પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
દાનહના જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ આજે સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment