(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: નવરાત્રિનો તહેવાર આસો સુધ એકમથી સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. આદ્યશક્તિ અંબામાતાએ મહિસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અને દશમાં દિવસે મહિષાસુર રાક્ષસને માર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા હતાં તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે.
સ્કૂલના આચાર્ય અનિલ આલ્ફાન્સો તેમજ મેડમ આની આલ્ફાન્સોએ કાર્યક્રમની શરૂઆત આરતી ગઈ પ્રસાદની વહેંચણી કરી હતી. બાળકો તેમજ શિક્ષકમિત્રોએ અલગ અલગ રંગબેરંગી ગરબામાં ડ્રેસપહેરી ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર આનંદથી ઉજવવામાં આવ્યો હતો.