વાહન ચાલકોએ પીપલખેડ થઈ કેલિયા ફાટક, સુખાબારી-રંગપુર-લીમઝર થઈ ઉમરકુઈ રસ્તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: વાંસદા તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાપી-શામળાજી હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56 (રાણી ફળિયા- પીપલખેડ- ખાનપુર) ઉપર ચેઈનેજ કિ.મી. 654/00 થી 154/200 પર આવેલ રબલ મેશનરી સ્લેબ ડ્રેઇન તૂટી ગયેલ છે. જેની જાણ જિલ્લા વહીવટીતંત્રને થતાં તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર પહોંચી જઈ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અને બે દિવસ માટે વાહનચાલકો માટે રસ્તાનું ડાયવર્ઝન આપી રોડ રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેનું ટૂંક સમયમાં કામ પૂર્ણ કરીને ફરી પૂર્વવત કરવામાં આવશે. હાલમાં વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે પીપલખેડ થઈ કેલિયા ફાટક, કેલિયા, સુખાબારી-રંગપુર-લીમઝર થઈ ઉમરકુઇ રસ્તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.