(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : દીવના વણાંકબારા ખાતે આજે જિલ્લાના એ.ડી.એમ. શ્રી વિવેક કુમારના દિશા-નિર્દેશ હેઠળ 7 જેટલા મકાનોની ગેરકાયદે દિવાલનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જે.સી.બી. દ્વારા સવારથી જ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં મીઠીવાડી ખાતે આવેલ મકાનની પાછળની સાઈડ દિવાલને તોડવામાં આવી હતી. દીવના વણાંકબારા બસ સ્ટેશન નજીક પણ ગેરકાયદે બનેલ દિવાલોને તોડવામાં આવી હતી. આ સમગ્ર ડિમોલીશન કાર્યવાહી દરમિયાન એ.ડી.એમ. શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા સહિત પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.