March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

ઝઘડામાં લોખંડના રોડ, કુહાડી ઉછળ્‍યા : ડુંગરા પોલીસમાં સામ-સામી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી તાલુાકના કોપરલી ગામે આંગણામાં આવેલી ખુલ્લી જગ્‍યાની જમીન અંગે કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે ઝઘડો લોહિયાળ બન્‍યો હતો. ઝઘડામાં લોખંડનો રોડ, કુહાડી ઉછળતા એક મહિલા સહિત પાંચ પુરુષો ઘાયલ થતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
કોપરલી ગામે કુંભારવાડામાં આવેલ વડીલોપાર્જીત મકાન અને દુકાન તરીકે દરજીકામ સાથે માટલા-વિડા વેચાણ કરતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ, દીકરા જીગર પ્રજાપતિ, જય પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ, ધ્રુવલ પ્રજાપતિ વચ્‍ચે ગતરોજ આંગણાની જમીન અંગે ઝઘડો થયો હતો. જેમાં લાકડાના ફટકા મારી, મુઢ માર એકબીજાને થતા તમામ કૌટુંબિક ભાઈઓ સહિત એક મહિલા ઈજાગ્રસ્‍ત થતા વાપીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં એક પક્ષના લતા હસમુખ પટેલના આંગણામાં રહેલ ચુલો પણ ફેંકી દેવાયેલો. તેમાં એકબીજા પર કરાયેલા હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયેલા. મુળ ઝઘડાનું કારણ આંગણામાં રહેલી જમીનની માલિકી માટે બે પરિવારો વચ્‍ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.ગતરોજ ઝઘડો, મારામારી અને લોહિયાળ બનેલો તેથી બન્ને પક્ષોએ ડુંગરા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

Leave a Comment