June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

ઝઘડામાં લોખંડના રોડ, કુહાડી ઉછળ્‍યા : ડુંગરા પોલીસમાં સામ-સામી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી તાલુાકના કોપરલી ગામે આંગણામાં આવેલી ખુલ્લી જગ્‍યાની જમીન અંગે કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે ઝઘડો લોહિયાળ બન્‍યો હતો. ઝઘડામાં લોખંડનો રોડ, કુહાડી ઉછળતા એક મહિલા સહિત પાંચ પુરુષો ઘાયલ થતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
કોપરલી ગામે કુંભારવાડામાં આવેલ વડીલોપાર્જીત મકાન અને દુકાન તરીકે દરજીકામ સાથે માટલા-વિડા વેચાણ કરતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ, દીકરા જીગર પ્રજાપતિ, જય પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ, ધ્રુવલ પ્રજાપતિ વચ્‍ચે ગતરોજ આંગણાની જમીન અંગે ઝઘડો થયો હતો. જેમાં લાકડાના ફટકા મારી, મુઢ માર એકબીજાને થતા તમામ કૌટુંબિક ભાઈઓ સહિત એક મહિલા ઈજાગ્રસ્‍ત થતા વાપીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં એક પક્ષના લતા હસમુખ પટેલના આંગણામાં રહેલ ચુલો પણ ફેંકી દેવાયેલો. તેમાં એકબીજા પર કરાયેલા હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયેલા. મુળ ઝઘડાનું કારણ આંગણામાં રહેલી જમીનની માલિકી માટે બે પરિવારો વચ્‍ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.ગતરોજ ઝઘડો, મારામારી અને લોહિયાળ બનેલો તેથી બન્ને પક્ષોએ ડુંગરા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

Related posts

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના

vartmanpravah

Leave a Comment