August 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

ઝઘડામાં લોખંડના રોડ, કુહાડી ઉછળ્‍યા : ડુંગરા પોલીસમાં સામ-સામી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી તાલુાકના કોપરલી ગામે આંગણામાં આવેલી ખુલ્લી જગ્‍યાની જમીન અંગે કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે ઝઘડો લોહિયાળ બન્‍યો હતો. ઝઘડામાં લોખંડનો રોડ, કુહાડી ઉછળતા એક મહિલા સહિત પાંચ પુરુષો ઘાયલ થતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
કોપરલી ગામે કુંભારવાડામાં આવેલ વડીલોપાર્જીત મકાન અને દુકાન તરીકે દરજીકામ સાથે માટલા-વિડા વેચાણ કરતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ, દીકરા જીગર પ્રજાપતિ, જય પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ, ધ્રુવલ પ્રજાપતિ વચ્‍ચે ગતરોજ આંગણાની જમીન અંગે ઝઘડો થયો હતો. જેમાં લાકડાના ફટકા મારી, મુઢ માર એકબીજાને થતા તમામ કૌટુંબિક ભાઈઓ સહિત એક મહિલા ઈજાગ્રસ્‍ત થતા વાપીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં એક પક્ષના લતા હસમુખ પટેલના આંગણામાં રહેલ ચુલો પણ ફેંકી દેવાયેલો. તેમાં એકબીજા પર કરાયેલા હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયેલા. મુળ ઝઘડાનું કારણ આંગણામાં રહેલી જમીનની માલિકી માટે બે પરિવારો વચ્‍ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.ગતરોજ ઝઘડો, મારામારી અને લોહિયાળ બનેલો તેથી બન્ને પક્ષોએ ડુંગરા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment