(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં આયોજીત બે દિવસીય રાજ્ય સ્તરના સમારંભમાં ભાગ લેવા માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે વલસાડ પહોંચ્યા હતા. પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અનઔપચારિક મુલાકાત લીધી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.