April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌશાળા પાંજરાપોળોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌ પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાણીન ફાઉન્‍ડેશન (અગ્નિવીર) દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવ્‍યાનુસાર સંવેદનશીલ સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળમાં આવેલ ગૌવંશને નિભાવવા માટે રૂપિયા 500 કરોડ અને રખડતા પશુઓ માટે રૂા.100 કરોડ મળી કુલ્લે રૂા.600 કરોડ ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરીએ છીએ અસલ મોંઘવારી અને આર્થિક તકલીફના કારણે ગૌશાળા પાંજરાપોળને મળતી દાનની આવક બંધ થવાની સંસ્‍થાઓ દેવાદાર બની છે. જેના કારણે સંસ્‍થાઓને પોતાના પશુઓને નિભાવ કરવો ખૂબ જ મુશ્‍કેલ બન્‍યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ ગૌ પોષણ યોજનાનો અમલમાં વિલંબ ના કારણે ગૌશાળા પાંજરાપોળમાં આવેલ તથા રખડતા અસંખ્‍ય પશુઓના મૃત્‍યુના કારણે ગૌ ભક્‍તોમાં ખૂબ જ દુઃખ ની લાગણી વ્‍યાપી ગયેલ છે. અનેહાલત ખૂબજ કપરી બનેલ છે. આવા કપરા સમયમાં દરેક સંસ્‍થાઓ જીવદયા પ્રેમીઓ તથા ગૌ ભક્‍તો આપણા હિન્‍દુ ધર્મની ધરોહર અને આધાર સ્‍તભ એવા ગૌ વંશને બચાવવા રાષ્‍ટ્રવાદી અને લોકપ્રિય સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી રહ્યા છે. અને ગૌ પોષણ યોજનાનો ત્‍વરિત અમલ થાય એવી માંગ કરવામાં આવી હતી.

Related posts

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

Leave a Comment