Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીએથી આપવામાં આવેલ દિશા-નિર્દેશ અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સેલવાસ વિભાગમાં ટોકરખાડા બસ સ્‍ટેન્‍ડ નજીકસરકારી જમીન પર એક ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલ હતું તેઓને પ્રશાસન દ્વારા નોટિસ અને મૌખિક રૂપે સૂચિત કરવામા આવેલ છતાંપણ તેઓએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા ન હતા. જેને પ્રશાસનની ટીમે આજે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પાતલિયા ફળિયામાં ગેરકાયદેસર ઢાબો બનાવવામાં આવ્‍યો હતો એને પણ મહેસૂલ વિભાગની ટીમ તોડી પાડવા માટે પહોંચી હતી, પરંતુ ઢાબાના માલિકે જાતે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીહતી.
પ્રશાસન જાહેર જનતાને અનુરોધ કરે છે કે જે કોઈએ પણ સરકારી જમીન ઉપર, સરકારી કોતર અને નહેર ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને કાયદેસર રીતે હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

Leave a Comment