April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીએથી આપવામાં આવેલ દિશા-નિર્દેશ અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સેલવાસ વિભાગમાં ટોકરખાડા બસ સ્‍ટેન્‍ડ નજીકસરકારી જમીન પર એક ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલ હતું તેઓને પ્રશાસન દ્વારા નોટિસ અને મૌખિક રૂપે સૂચિત કરવામા આવેલ છતાંપણ તેઓએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા ન હતા. જેને પ્રશાસનની ટીમે આજે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પાતલિયા ફળિયામાં ગેરકાયદેસર ઢાબો બનાવવામાં આવ્‍યો હતો એને પણ મહેસૂલ વિભાગની ટીમ તોડી પાડવા માટે પહોંચી હતી, પરંતુ ઢાબાના માલિકે જાતે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીહતી.
પ્રશાસન જાહેર જનતાને અનુરોધ કરે છે કે જે કોઈએ પણ સરકારી જમીન ઉપર, સરકારી કોતર અને નહેર ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને કાયદેસર રીતે હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ના અભિયાન અંતર્ગત વાપી રેલવે સ્‍ટેશને ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment