(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: આગામી તા.15 ઓક્ટોબરનાં રોજ નવસારી જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજ રોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્ય્ક્ષસ્થાને યોજાઈ હતી .આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓને લાભાર્થીઓની વ્યવસ્થા, સાધન સહાયની વિગત, ડેટા એન્ટ્રી સમયસર થઈ જાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
નવસારીજિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો ચીખલી તાલુકાના શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી, સુરખાઇ ખાતે તા.15/10/2022 ના રોજ આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે જોવા ખાસ ભાર મુકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે દરેક અમલીકરણ અધિકારીઓએ પોતાને સોપાયેલી કામગીરી જવાબદારીપૂર્વક નિભાવીને આયોજનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો .
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્રષ્ટિ શુકલા, શ્રીમતી સીતાબેન પટેલ સહિત જિલ્લા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.