June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: આગામી તા.15 ઓક્‍ટોબરનાં રોજ નવસારી જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજ રોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍ય્‍ક્ષસ્‍થાને યોજાઈ હતી .આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓને લાભાર્થીઓની વ્‍યવસ્‍થા, સાધન સહાયની વિગત, ડેટા એન્‍ટ્રી સમયસર થઈ જાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
નવસારીજિલ્લામાં ગરીબ કલ્‍યાણ મેળો ચીખલી તાલુકાના શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી, સુરખાઇ ખાતે તા.15/10/2022 ના રોજ આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર છે. ગરીબ કલ્‍યાણ મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે જોવા ખાસ ભાર મુકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે દરેક અમલીકરણ અધિકારીઓએ પોતાને સોપાયેલી કામગીરી જવાબદારીપૂર્વક નિભાવીને આયોજનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો .
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્રષ્ટિ શુકલા, શ્રીમતી સીતાબેન પટેલ સહિત જિલ્લા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

વાપીમાં રવિવારે પોલિયો નેશનલ રાઉન્‍ડનો પ્રારંભ: 200 જેટલા પોલિયો બુથ કાર્યરત કરાયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

Leave a Comment