March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

અગ્નિવિર ગૌ સેનાના કાર્યકરો અને સ્‍થાનિકોનો આક્ષેપ : નાપાક તત્‍વો દ્વારા ગાયોને ટ્રેક ઉપર ખદેડી લવાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ પાસે રવિવારે રાત્રે મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ બન્ને ટ્રેક ઉપર 24 જેટલા ગૌવંશ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્‍થળે જ તમામ ગાયોના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. હિચકારી બનેલી ઘટનાની જાણ બાદ આર.પી.એફ, જી.આર.પી., અગ્નિવિર, ગૌરક્ષક સેના અને સ્‍થાનિકો ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. મુંગા જીવોની અરેરાટી ઉપજાવનારી ઘટના બાદ લોકોમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ નજીક રવિવારે રાત્રે રેલવેની અપ એન્‍ડ ડાઉન બન્ને ટ્રેક ઉપર આશરે 500 મીટરના અંતરમાં 24 જેટલી ગાયો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટી હતી. સ્‍થાનિકોને ઘટનાની જાણ થતા દોડીઆવ્‍યા હતા. આર.પી.એફ. જી.આર.પી. અને અગ્નિવિર ગૌ સેનાને જાણ કરાતા તમામ લોકો ઘટના સ્‍થળે દોડી આવી મૃત ગાયોને ટ્રેન ટ્રેક પરથી હટાવી હતી. આ હિચકારી ઘટના અંગે સ્‍થાનિકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે અસામાજીક નાપાક તત્‍વો દ્વારા ગાયોને નહેર સમાંતર ખદેડી લાવી ટ્રેક ઉપર આંતરવામાં આવી છે. કારણ કે ઘટનાની આસપાસ અનેક તૂટેલી લાકડીઓ, બંબુ મળી આવ્‍યા છે. તેમજ અગાઉ પણ જોરાવાસણ સ્‍ટેશને આવી જ ઘટના દોઢ વર્ષ પહેલાં પણ ઘટી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

Leave a Comment