October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

  • દાનહમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો હોવાથી આ પેટા ચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું સ્‍પષ્‍ટ દેખાય રહ્યું છે

આજે બુધવારની સાંજથી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટેની ચૂંટણીનું ચિત્ર પણ ધીરે ધીરે સ્‍પષ્‍ટ થવા લાગશે. તમામની નજર ભાજપના ઉમેદવાર ઉપર રહે એ સ્‍વાભાવિક છે. સંભવતઃ આજે અથવા આવતી કાલ સુધી સત્તાવાર રીતે ઉમેદવારના નામની ઘોષણા ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા કરાશે.
કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી એક બેઠક માટેની આ પેટા ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી છે. આ બેઠકના પરિણામનું રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ ઝાઝુ મહત્ત્વ પણ નથી અને કોઈ ચર્ચા પણ રહેવાની નથી. પરંતુ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશના એક જિલ્લામાં થઈ રહેલી ચૂંટણીના પરિણામની અસર જિલ્લાના વિકાસ ઉપર પડવાની પુરી સંભાવના છે. કારણ કે, કેન્‍દ્ર સરકારે દાદરા નગર હવેલીના વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી.
કેન્‍દ્રમાં જો અસ્‍થિર સરકાર હોત કે એકાદ-બે સાંસદનાજવા-આવવાથી સરકારનું પતન થાય એવી સ્‍થિતિ હોત તો દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ઉપર સમગ્ર રાષ્‍ટ્રનું ધ્‍યાન હોત. પરંતુ આજે દેશમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હોવાની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું પ્રભાવશાળી નેતૃત્‍વ પણ હોવાથી દાદરા નગર હવેલી લોકસભાની બેઠકની પેટા ચૂંટણીમાં જેમને પણ ભાજપની ટિકિટ મળે તે ભાગ્‍યશાળી રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે યાદ રહે કે, 2019ની સામાન્‍ય ચૂંટણી દરમિયાન સ્‍થિતિ અને સંજોગો જુદા હતા. તે વખતે કેન્‍દ્રમાં કોને બહુમતિ મળશે તે નક્કી કરવું મુશ્‍કેલ હતું. છતાં દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મોહનભાઈ ડેલકરે પોતે પણ મોદીના સમર્થક હોવાનો પ્રચાર કર્યો હતો. જેનો ફાયદો પણ તેમને ચૂંટણીમાં થયો હતો. પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં સ્‍થિતિ એકદમ સ્‍પષ્‍ટ છે. કેન્‍દ્રમાં ભાજપ શાસિત મોદી સરકાર છે અને લગભગ સાડા ત્રણ દાયકા બાદ પહેલી વખત મોહનભાઈ ડેલકરની હયાતીના અભાવમાં ચૂંટણી યોજાઈ રહી છે.
બીજી બાજુ દાદરા નગર હવેલીમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પણ પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો છે. તેથી આ પેટાચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું સ્‍પષ્‍ટ દેખાય રહ્યુંછે.

Related posts

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ગ્રીન ઈન્‍ડિયા”ની પહેલઃ દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નગરી વાપી ઈ-વાહનોના મેન્‍યુફ્રેક્‍ચરનું હબ બન્‍યું

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment