January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના પાટી ગામેથી સાત ટન ખેરના લાકડા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ ક્રાઇમ બ્રાન્‍ચને માહિતી મળી હતી કે પાટી ગામે ખેરના ગેરકાયદેસર લાકડા ખાલી થઈ રહ્યા છે. જેના આધારે પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ ધસી જઈ તપાસ કરતા પીકઅપ ટેમ્‍પો નંબર ડીએન-09 આર-9435માંથી ખેરના લાકડા નીચે ઉતારવામાં આવેલા જોવા મળ્‍યા હતા. ટેમ્‍પો સાથે ઉભેલ બે વ્‍યક્‍તિઓને પૂછપરછ કરતા આ ખેરના લાકડા માટે એમની પાસે કોઈપણ પાસ પરમીટ ન હતા, અને આ લાકડા વાસોણા અમરુનપાડા ગામના સંજય ગોપાલજી તુમડાની ખેતીની જમીનમાં રાખવામાં આવ્‍યા હતા. સંજય તુમડાના પુત્ર પ્રદીપ સંજય તુમડા અને ડ્રાઇવર પ્રતિક શૈલેષ પટેલ – રહેવાસી નાની તંબાડી, ગુજરાતની વધુ પૂછપરછ કરતા તેમણે જણાવ્‍યું હતું કે ચંદ્રકાંત ઉર્ફે તાલા, રહેવાસી- નાની તંબાડી. જે ખેરના લાકડાનો મુખ્‍ય દાણચોર છે અને સંજય ગોપાળ તુમડાની જમીનમાં લાકડાનો જથ્‍થો રાખવા માટે જગ્‍યા આપે છે. પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉતે ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ વિભાગના અધિકારી શ્રી ધવલ ગાવિત અને એમનીટીમે પીકઅપ ટેમ્‍પો સહિત 7345 કિલો ખેરના લાકડા જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુનેગારોને સી.જે.એમ. સેલવાસ સમક્ષ રજૂ કરવામાં આવતા વધુ તપાસ માટે મેજિસ્‍ટ્રેટ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે.

Related posts

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

Leave a Comment