Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

સેલવાસ ન.પા.ના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર મનોજ પાંડેયના સ્‍થાને ડો. સુનભ સિંઘની કરાયેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોર જોડાતાં પ્રદેશના કેટલાક આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોની પુનઃ ફાળવણી કરવાનો આદેશ પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવામાં આવ્‍યો છે.
આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં કરાયેલા ફેરબદલ મુજબ હવેથી ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે શ્રી પ્રિયાંક કિશોરની વરણી કરવામાં આવી છે અને દાનિક્‍સ અધિકારી ડો. સુનભ સિંઘને ડેપ્‍યુટી કલેક્‍ટરના પદેથી રિલીવ કરી તેમને સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી સુપ્રત કરાઈ છે.
સેલવાસ નગરપાલિકાના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર શ્રી મનોજ કુમાર પાંડેયને દાનહ અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરી કમ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર અને ટ્રાયબલ વેલ્‍ફેર વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટીસેક્રેટરીની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે અને શ્રી જતિન ગોયલને આ વિભાગના વધારાના હવાલાથી મુક્‍ત કરાયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન અને પર્યાવરણ તથા વાઈલ્‍ડ લાઈફ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરીનો વધારાનો હવાલો દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન પાસેથી પરત લેવામાં આવ્‍યો છે.

Related posts

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

Leave a Comment