Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

સેલવાસ ન.પા.ના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર મનોજ પાંડેયના સ્‍થાને ડો. સુનભ સિંઘની કરાયેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોર જોડાતાં પ્રદેશના કેટલાક આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોની પુનઃ ફાળવણી કરવાનો આદેશ પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવામાં આવ્‍યો છે.
આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં કરાયેલા ફેરબદલ મુજબ હવેથી ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે શ્રી પ્રિયાંક કિશોરની વરણી કરવામાં આવી છે અને દાનિક્‍સ અધિકારી ડો. સુનભ સિંઘને ડેપ્‍યુટી કલેક્‍ટરના પદેથી રિલીવ કરી તેમને સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી સુપ્રત કરાઈ છે.
સેલવાસ નગરપાલિકાના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર શ્રી મનોજ કુમાર પાંડેયને દાનહ અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરી કમ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર અને ટ્રાયબલ વેલ્‍ફેર વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટીસેક્રેટરીની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે અને શ્રી જતિન ગોયલને આ વિભાગના વધારાના હવાલાથી મુક્‍ત કરાયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન અને પર્યાવરણ તથા વાઈલ્‍ડ લાઈફ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરીનો વધારાનો હવાલો દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન પાસેથી પરત લેવામાં આવ્‍યો છે.

Related posts

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

Leave a Comment