July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

જથ્‍થો સેલવાસથી ભરાયો હતો : અમદાવાદ પહોંચે તે પહેલા પોલીસ કન્‍ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: દિવાળીના તહેવાર અને વેકેશન આવતું હોવાથી બુટલેગરો દ્વારા મબલખપ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બાવળા થઈ ગયા છે. કંઈક તેવો જ બનાવ આજે વાપી નજીક બગવાડા ટોલ પ્‍લાઝા પાસે બન્‍યો હતો. સેલવાસથી દારૂનો 11.10 લાખનો જથ્‍થો ભરીને અમદાવાદ જઈ રહેલ કન્‍ટેનર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્‍લિનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચ ટીમને બાતમી મળી હતી કે, સેલવાસથી દારૂનો જથ્‍થો ભરી કન્‍ટેનર અમદાવાદ જઈ રહ્યું છે. ત્‍યાર બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. બગવાડા ચેકપોસ્‍ટ ઉપર વોચ ગોઠવી પોલીસ તહેનાત થઈ ગઈ હતી. બાતમી વાળુ કન્‍ટેનર નં.ડીએન 09 પી 9487 આવતા પોલીસે સાઈડીંગ કરાવી ચેકીંગ કર્યું હતું. તેમાં કન્‍ટેનરમાં દારૂની બોટલો ભરેલ 380 બોક્ષનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેની કિંમત રૂા.11.10 લાખનો જથ્‍થો હતો. એલ.સી.બી.એ કન્‍ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલક શાહરુખ મોહંમદ મતીન ખાન અને ક્‍લિનર દાનિશ રફીક ખાન બન્ને રહે.કલ્‍યાણપુર ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી. સમગ્ર મામલો એલ.સી.બી.એ પારડી પો.સ્‍ટે.માં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ પારડી પોલીસને સોંપાઈ હતી.

Related posts

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

Leave a Comment