Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

(સિદી સમાજ દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : દીવમીં હઝરત બાબા ગૌરનો ઉર્ષ સિદી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવામાં આવ્‍યો હતો. દર વર્ષની જેમ આ વર્ષ પણ દીવ, ઘોઘલાના સિદીઓ દ્વારા હઝરત બાબા ગૌરનો ઉર્ષ મનાવવામાં આવ્‍યો હતો જેમાં સાંજે 5:00 કલાકે બાબા ગૌરની દરગાહથી આખા દીવમાં સંદલ ફેરવામાં આવ્‍યું હતું. જેમાં દીવ. ઘોઘલા તથા આજુ બાજુના મુસ્‍લિમ અને હિંદુ સમુદાયના લોકો પણ આ ઉર્ષમાં જોડાયા હતા અને ઉત્‍સાહ અને ઉલ્લાસથી આ ઉર્ષ ઉજવવામાં આવ્‍યુ હતું. ગામમા સંદલફરિયા બાદ પાછા બાબા ગૌરની દરગાહ પર આવીને ધમાલ કરવામાં આવી હતી. ત્‍યાર બાદ ચાંદર પોશી, સલાતો સલામ દુનિયાના તમામ મુસ્‍લિમ ભાઈઓ, બહેનો માટે દુઆ કરવામાં આવી હતી. સાંજે 7:00 વાગે આમ નિયાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્‍યો હતો. જેમાં દીવ ઘોઘલા તથા આજુબાજુના લોકો આ નિયાઝમાં હાજરી આપી હતી. હઝરત બાબા ગૌરના મુંજાવાર તરીકે અનીસ ભાઈ ઈમરાનભાઈ આવેશભાઈએ હઝરત બાબા ગૌરની મુંજાવર કરી હતી. આ ઉર્ષ દરમિયાન વિદેશી પર્યટકો પણ સામિલ થયા હતા.

Related posts

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

વડોદરા ખાતે સંકલ્પ સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સ્વારી) દ્વારા ઍક દિવસીય પરિસંવાદ યોજાયોઃ ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર થયેલી વિશદ્ ચર્ચા

vartmanpravah

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah

Leave a Comment