July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

ઈજાગ્રસ્‍ત બનેલા સુપરવાઈઝર રાજીવકુમાર સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત ‘આલોક ગારમેન્‍ટ કંપની’ના સુપરવાઇઝર પર કંપનીમાં કામ કરતા કર્મચારીએ પગાર બાબતે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા સુપરવાઈઝરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ખાતે આવેલ ‘આલોક ગારમેન્‍ટ કંપની’માં સુપરવાઈઝર તરીકેફરજ બજાવનાર રાજીવકુમાર રમાશંકર યાદવ (ઉ.વ.35) રહેવાસી મધુભાઈની ચાલ- સાયલી. જે નોકરી અર્થે કંપનીમાં જઈ રહ્યા હતા. ત્‍યારે એજ કંપનીમાં કામ કરતો કામદાર અચાનક દોડી આવ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, ‘મને પગાર કેમ આપવામાં આવતો નથી? તે સમયે સુપરવાઈઝરે જણાવ્‍યું કે, તમારો પગાર આપી દેવામાં આવેલ છે. બાદમાં વધુ બોલાચાલી થતાં આ ઝગડો વધુ ઉગ્ર બન્‍યો હતો અને કામદાર પોતાના ખિસ્‍સામા ચાકુ લઈને આવ્‍યો હતો એના વડે સુપરવાઈઝર રાજીવકુમાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટના જોતા આજુબાજુમાં ઉભેલા લોકો તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્‍યા હતા. પરંતુ ચાકુ વડે હુમલો કરનાર કર્મચારી ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.
હુમલામાં ઘાયલ સુપરવાઈઝર રાજીવકુમારને સારવાર માટે તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સમાં ભરી સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા છે. આ ઘટનામાં હુમલો કરીને ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

Leave a Comment