March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

ઈજાગ્રસ્‍ત બનેલા સુપરવાઈઝર રાજીવકુમાર સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત ‘આલોક ગારમેન્‍ટ કંપની’ના સુપરવાઇઝર પર કંપનીમાં કામ કરતા કર્મચારીએ પગાર બાબતે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા સુપરવાઈઝરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ખાતે આવેલ ‘આલોક ગારમેન્‍ટ કંપની’માં સુપરવાઈઝર તરીકેફરજ બજાવનાર રાજીવકુમાર રમાશંકર યાદવ (ઉ.વ.35) રહેવાસી મધુભાઈની ચાલ- સાયલી. જે નોકરી અર્થે કંપનીમાં જઈ રહ્યા હતા. ત્‍યારે એજ કંપનીમાં કામ કરતો કામદાર અચાનક દોડી આવ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, ‘મને પગાર કેમ આપવામાં આવતો નથી? તે સમયે સુપરવાઈઝરે જણાવ્‍યું કે, તમારો પગાર આપી દેવામાં આવેલ છે. બાદમાં વધુ બોલાચાલી થતાં આ ઝગડો વધુ ઉગ્ર બન્‍યો હતો અને કામદાર પોતાના ખિસ્‍સામા ચાકુ લઈને આવ્‍યો હતો એના વડે સુપરવાઈઝર રાજીવકુમાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટના જોતા આજુબાજુમાં ઉભેલા લોકો તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્‍યા હતા. પરંતુ ચાકુ વડે હુમલો કરનાર કર્મચારી ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.
હુમલામાં ઘાયલ સુપરવાઈઝર રાજીવકુમારને સારવાર માટે તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સમાં ભરી સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા છે. આ ઘટનામાં હુમલો કરીને ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

Leave a Comment