(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : ગત 2 ઓક્ટોબરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારત રત્ન સ્વ. લાલ બહાદુર શાષાીજીને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી 100 જેટલા પસંદ કરાયેલા યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં સંઘપ્રદેશ દમણથી પહેલી વખત નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દમણના સ્વયં સેવક શ્રી હર્ષિલ હરેશકુમાર ભંડારી અને કુ. રૂપલ ભાનુશાલીની પસંદગી કરવામાં આવી હતી.
દેશભરમાંથી પસંદ કરાયેલા 100 યુવાનો પૈકી 30 યુવાનોને સંસદમાં પોતાના વિચારો રાખવા માટે તક મળી હતી જેમાં દમણના શ્રી હર્ષિલ ભંડારીનો પણ સમાવેશ હતો.
આજે શ્રી હર્ષિલ ભંડારીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી તેમને સંસદની પોતાની યાત્રાનો અનુભવ રજૂ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપવાની સાથે નૈતિકતાના માર્ગે ચાલી નવી સફળતા પ્રાપ્ત કરવા પણ શ્રી હર્ષિલ ભંડારીને માર્ગદર્શન આપ્યુંહતું.