April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

સરદાર પટેલની પ્રતિમાની જાળવણીમાં થઈ રહેલી ઉપેક્ષાઃ બગીચાનું જતન અને સફાઈનો પણ જોવા મળી રહેલો અભાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: તાજેતરમાં તા.31મી ઓક્‍ટોબરના રોજ ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્‍મ જયંતિની ઉજવણી વાપી ભાજપ દ્વારા સરદાર ચોકમાં શાનદાર રીતે કરવામાં આવી હતી પરંતુ વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ ઉદ્યાનના સરદાર પટેલની ઉજવણીમાં વિસરાઈ ગયા હતા. મહાપુરુષોની જન્‍મતિથિ એટલા માટે ઉજવવામાં આવે છે કે આજની પેઢી તેમને યાદ રાખે, સમાજમાં તેમના જીવન અને દેશ સેવાની નોંધ લેવાય પરંતુ નૂતન નગરના સરદાર ઉદ્યાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉજવણીમાંથી બાકાત રહ્યા હતા. આઘટના સામાજીક શરમ લેખાવી રહી.
વાપી નૂતન નગરમાં 81 લાખને ખર્ચે નગરપાલિકા દ્વારા સુંદર ઉદ્યાનનું નિર્માણ કરાયું છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિત ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું તેમજ ઉદ્યાનનું નામાભિદાન સરદાર પટેલ ઉદ્યાન તરીકે કરવામાં આવ્‍યું હતું પરંતુ ઉદ્દઘાટન બાદ ઉદ્યાનનો અને સરદારની પ્રતિમાનો રાખરખાવ- ધીરે ધીરે ઓછો થતો ગયો. આજે ગાર્ડન અને પ્રતિમા દુર્દશાગ્રસ્‍ત છે. ભાજપ કે પાલિકાનું કોઈ ચકલુ જોવા કે સાર સંભાળ માટે ફરકતું નથી. આ ત્રુટીમાં હવે વધુ એક વધારો થયો છે. વાપી પાલિકા દ્વારા આ ઉદ્યાન પાછળ દર મહિને સાર સંભાળ માટે ખર્ચો કરે છે પરંતુ આ ખર્ચો ક્‍યાં થઈ રહ્યો છે તે દેખાતું નથી. સરદાર પટેલની જન્‍મ જયંતિની ઉજવણીમાં નૂતન નગરના સરદાર ઉદ્યાનના સરદાર પટેલ ધરાર વિસરાઈ ગયા છે.

Related posts

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment