Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

સરદાર પટેલની પ્રતિમાની જાળવણીમાં થઈ રહેલી ઉપેક્ષાઃ બગીચાનું જતન અને સફાઈનો પણ જોવા મળી રહેલો અભાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: તાજેતરમાં તા.31મી ઓક્‍ટોબરના રોજ ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્‍મ જયંતિની ઉજવણી વાપી ભાજપ દ્વારા સરદાર ચોકમાં શાનદાર રીતે કરવામાં આવી હતી પરંતુ વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ ઉદ્યાનના સરદાર પટેલની ઉજવણીમાં વિસરાઈ ગયા હતા. મહાપુરુષોની જન્‍મતિથિ એટલા માટે ઉજવવામાં આવે છે કે આજની પેઢી તેમને યાદ રાખે, સમાજમાં તેમના જીવન અને દેશ સેવાની નોંધ લેવાય પરંતુ નૂતન નગરના સરદાર ઉદ્યાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉજવણીમાંથી બાકાત રહ્યા હતા. આઘટના સામાજીક શરમ લેખાવી રહી.
વાપી નૂતન નગરમાં 81 લાખને ખર્ચે નગરપાલિકા દ્વારા સુંદર ઉદ્યાનનું નિર્માણ કરાયું છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિત ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું તેમજ ઉદ્યાનનું નામાભિદાન સરદાર પટેલ ઉદ્યાન તરીકે કરવામાં આવ્‍યું હતું પરંતુ ઉદ્દઘાટન બાદ ઉદ્યાનનો અને સરદારની પ્રતિમાનો રાખરખાવ- ધીરે ધીરે ઓછો થતો ગયો. આજે ગાર્ડન અને પ્રતિમા દુર્દશાગ્રસ્‍ત છે. ભાજપ કે પાલિકાનું કોઈ ચકલુ જોવા કે સાર સંભાળ માટે ફરકતું નથી. આ ત્રુટીમાં હવે વધુ એક વધારો થયો છે. વાપી પાલિકા દ્વારા આ ઉદ્યાન પાછળ દર મહિને સાર સંભાળ માટે ખર્ચો કરે છે પરંતુ આ ખર્ચો ક્‍યાં થઈ રહ્યો છે તે દેખાતું નથી. સરદાર પટેલની જન્‍મ જયંતિની ઉજવણીમાં નૂતન નગરના સરદાર ઉદ્યાનના સરદાર પટેલ ધરાર વિસરાઈ ગયા છે.

Related posts

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

Leave a Comment