October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

ઉદ્યોગપતિઓ, ટ્રાન્‍સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્‍યવસાયી એવા જાણીતા ઉદ્યોગ અગ્રણી જયેન્‍દ્રસિંહ પરબતસિંહ પરમારનું આજરોજ સોમવાર સવારે તેમના નિવાસ સ્‍થાને અચાનક હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારને લઈ સમગ્ર વાપી વસાહતમાં સેંકડો લોકો શોકાતુર બન્‍યા હતા.
60 વર્ષિય સ્‍વ.જયેન્‍દ્રસિંહ પરમાર ઉર્ફે બાપુના હુલામણા નામથી ઓળખાતા હતા. પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય તેમજ એસ્‍ટેટ બજારમાં નોંધપાત્ર કામગીરી સુવિખ્‍યાત છે. વિશાળ મિત્ર વૃંદ ધરાવતા જયેન્‍દ્રસિંહ બાપુના અચાનક નિધનથી વાપીમાં શોકજનક સમાચાર પ્રસરી ગયા છે. આજે સોમવારે સૌરભ સોસાયટી જી.આઈ.ડી.સી. ગુંજન તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમ સંસ્‍કાર યાત્રા સાંજના 5 કલાકે નિકળી દમણગંગા નદી મુક્‍તિધાન યાત્રા પહોંચી હતી. યાત્રામાં સેંકડો ઉદ્યોગપતિ, ટ્રાન્‍સપોર્ટર સાથેવિશાળ મિત્ર વર્તુળ જોડાયો હતો. વ્‍યવસાયની સાથે સાથે જયેન્‍દ્રસિંહ બાપુ અનેક સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ સાથે સદા અગ્રેસર રહેતા હતા.
——

Related posts

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment