April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

ઉદ્યોગપતિઓ, ટ્રાન્‍સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્‍યવસાયી એવા જાણીતા ઉદ્યોગ અગ્રણી જયેન્‍દ્રસિંહ પરબતસિંહ પરમારનું આજરોજ સોમવાર સવારે તેમના નિવાસ સ્‍થાને અચાનક હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારને લઈ સમગ્ર વાપી વસાહતમાં સેંકડો લોકો શોકાતુર બન્‍યા હતા.
60 વર્ષિય સ્‍વ.જયેન્‍દ્રસિંહ પરમાર ઉર્ફે બાપુના હુલામણા નામથી ઓળખાતા હતા. પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય તેમજ એસ્‍ટેટ બજારમાં નોંધપાત્ર કામગીરી સુવિખ્‍યાત છે. વિશાળ મિત્ર વૃંદ ધરાવતા જયેન્‍દ્રસિંહ બાપુના અચાનક નિધનથી વાપીમાં શોકજનક સમાચાર પ્રસરી ગયા છે. આજે સોમવારે સૌરભ સોસાયટી જી.આઈ.ડી.સી. ગુંજન તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમ સંસ્‍કાર યાત્રા સાંજના 5 કલાકે નિકળી દમણગંગા નદી મુક્‍તિધાન યાત્રા પહોંચી હતી. યાત્રામાં સેંકડો ઉદ્યોગપતિ, ટ્રાન્‍સપોર્ટર સાથેવિશાળ મિત્ર વર્તુળ જોડાયો હતો. વ્‍યવસાયની સાથે સાથે જયેન્‍દ્રસિંહ બાપુ અનેક સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ સાથે સદા અગ્રેસર રહેતા હતા.
——

Related posts

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

વાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

Leave a Comment