April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: આગામી આવનારી વિધાસભાની ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા તેમ તેમ દરેક પક્ષોએ પોતપોતાની રીતે પ્રચારની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી છે ત્‍યારે નવસારી જિલ્લાના 176-ગણદેવી વિધાનસભા બેઠક પર બીલીમોરા ખાતે કોંગ્રેસના મધ્‍યસ્‍થ કાર્યલયના ઉદ્‌ઘાટન સાથે 176-ગણદેવી વિધાનસભાનાં ઉમેદવાર અશોકભાઈ કરાટે અને તમામ જિલ્લા સહિત તાલુકા પ્રમુખ સહિતનાં અગ્રણીઓ તેમજ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓએ જીતનો દાવો કર્યો હતો
નવસારી જિલ્લાના ગણદેવીતાલુકાના બીલીમોરા (પヘમિ) રેલવે સ્‍ટેશન સામે કોંગ્રેસનાં મધ્‍યસ્‍થ કાર્યાલય ઉદ્‌ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલનાં હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થભાઈ દેસાઈ, બીલીમોરા શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ અંત્રાબેન, ઉમેદવાર અશોકભાઈ કરાટે, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સચીનભાઈ પટેલ, ગણદેવી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પટેલ, વંકાલ ગામનાં માજી સરપંચ દિનેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં કાર્યકરો તેમજ બંહેનોની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવતા કાર્યોકરોમાં ઉમંગ સાથે જીતની આશા સેવાઈ રહી છે.

176-ગણદેવી વિધાનસભામાં 313 બુથ પર સંપર્ક કરવાનો રહેશે કાર્યકર્તાઓએ જાતે અલગ- અલગ ટીમ બનાવી પ્રચાર કરવો પડશે. ઉમેદવારની રાહ જોયા વગર તમારે પ્રચારમાં ઉતરી ઉમેદવારને વિજેતા બનાવવા પડશે.
– માજી જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ

જનતા સમક્ષ જવાનું છે ચૂંટણીનો ઢંઢેરો ઘરે ઘર પહોંચાડવાનો છે, કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો 10 લાખ મેડિકલનો ખર્ચ ઉપાડશે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અનેમોંઘવારીમાં માજા મુકી છે, ઉદ્‌બોધનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
– એપીએમસી ચેરમેન ગોવિંદભાઈ પટેલ

એટલી મોંઘવારી વધી ગઈ છે કે ખર્ચા વધી ગયા ગરમાં રોજ લડાઈ થાય છે કોંગ્રેસને લાવો મોંઘવારી ઓછી થશે. કોંગ્રેસનું રાજ હતું ત્‍યારે ગરીબ લોકોને ઝુંપડા બનાવી આપ્‍યા. હાઈસ્‍કૂલ બનાવી, દવાખાના બનાવ્‍યા બધું જ કોંગ્રેસે કર્યું છે, અત્‍યારે ભાજપ ત્‍યારથી ગાદી પર બેઠી છે, ભાજપ ગરીબ માણસને નથી ઓળખતી કોંગ્રેસ ગરીબ માણસને ઓળખે છે, ત્‍યારે કોંગ્રેસને દબાવવાની કોશિશ કરે છે. ગેસના બાટલા પર સબસિડી આપશે ઉપરથી બાટલાના ભાવ વધારી વધારીને જનતાને લૂંટતા છે.
– અંતરાબેન, બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ

Related posts

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

Leave a Comment