Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

અનંત પટેલ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિવિધ જાહેર સભા સંબોધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા.01 ડિસેમ્‍બરે યોજાવાની હોવાથી વિવિધ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચારના બ્‍યુગલ ફૂંકી દીધા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અગ્રણી નેતા સ્‍ટાર પ્રચારકો ગુજરાતના મતદારોને રીઝવવા માટે ઠેર ઠેર ચૂંટણી-રેલીઓનો દોર આરંભી દીધો છે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચારના માત્ર 15 દિવસ બાકી રહ્યા છે તેથી 15 દિવસ રોજેરોજ ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની ફોજ ગામેગામ શહેરોમાં ફરી રહેનાર છે ત્‍યારે કોંગ્રેસએ પણ પ્રચાર નેતાઓની ટીમ જાહેર કરી દીધી છે. વાંસદાના ધારાસભ્‍ય આદિવાસી નેતા અનંત પટેલની પસંદગી સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત પટેલે પુષ્‍કળ આદિવાસી રેલીઓ યોજી છે. પાર-તાપી-રીવર લીંક યોજનાના વિરોધમાંતેમણે કરેલી કામગીરી નોંધ કોંગ્રેસ પાર્ટીએ રાષ્‍ટ્રિય સ્‍તરે લીધી છે તેથી ગુજરાત કોંગ્રેસના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં ધારાસભ્‍ય અનંત પટેલની પસંદગી કરાઈ છે. તેઓને ઉમરગામથી અંબાજી સુધી પૂર્વ આદિવાસી પટ્ટીના જિલ્લાઓમાં પ્રચારની બાગડોળ સોંપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી અનંત પટેલએ આદિવાસી વિસ્‍તારોમાં મોટુ પ્રભુત્‍વ જમાવ્‍યું છે તેવુ કોંગ્રેસ માની રહી છે તેથી તેમને પક્ષના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.

Related posts

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

Leave a Comment