December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

અનંત પટેલ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિવિધ જાહેર સભા સંબોધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા.01 ડિસેમ્‍બરે યોજાવાની હોવાથી વિવિધ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચારના બ્‍યુગલ ફૂંકી દીધા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અગ્રણી નેતા સ્‍ટાર પ્રચારકો ગુજરાતના મતદારોને રીઝવવા માટે ઠેર ઠેર ચૂંટણી-રેલીઓનો દોર આરંભી દીધો છે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચારના માત્ર 15 દિવસ બાકી રહ્યા છે તેથી 15 દિવસ રોજેરોજ ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની ફોજ ગામેગામ શહેરોમાં ફરી રહેનાર છે ત્‍યારે કોંગ્રેસએ પણ પ્રચાર નેતાઓની ટીમ જાહેર કરી દીધી છે. વાંસદાના ધારાસભ્‍ય આદિવાસી નેતા અનંત પટેલની પસંદગી સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત પટેલે પુષ્‍કળ આદિવાસી રેલીઓ યોજી છે. પાર-તાપી-રીવર લીંક યોજનાના વિરોધમાંતેમણે કરેલી કામગીરી નોંધ કોંગ્રેસ પાર્ટીએ રાષ્‍ટ્રિય સ્‍તરે લીધી છે તેથી ગુજરાત કોંગ્રેસના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં ધારાસભ્‍ય અનંત પટેલની પસંદગી કરાઈ છે. તેઓને ઉમરગામથી અંબાજી સુધી પૂર્વ આદિવાસી પટ્ટીના જિલ્લાઓમાં પ્રચારની બાગડોળ સોંપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી અનંત પટેલએ આદિવાસી વિસ્‍તારોમાં મોટુ પ્રભુત્‍વ જમાવ્‍યું છે તેવુ કોંગ્રેસ માની રહી છે તેથી તેમને પક્ષના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

Leave a Comment