Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

જલંધર બીચ પર જલંધર મંદિર અને ચંદ્રમૌલેશ્વર મંદિર અને ચક્રતીર્થ પાસે એક દરગાહ આસ્‍થાના કેન્‍દ્ર હોવાથી તોડી પડાતા લોકોમાં જોવા મળેલો રોષ

 

 

 

 

 

 

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.10: કેન્‍દ્ર શાસિત દીવ ખાતે જલંધર બીચ પર આવેલ એક ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, જલંધર મંદિર અને ચક્રતીર્થ ખાતે એક દરગાહનું જિલ્લા પ્રશાસન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે મંદિરો તથા દરગાહ લોકોની આસ્‍થાના કેન્‍દ્ર હોવાથી તોડી પડાતા લોકોમાં રોષ જોવા મળ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દીવના જલંધર બીચ ખાતે જલંધર મંદિર એ પ્રાચીન મંદિર છે, જેનો ઉલ્લેખ મહાભારત, રામાયણ વગેરેમાં કરવામાં આવ્‍યો છે અને તેના નામથી ત્‍યાં જલંધર બીચ પણ પ્રચલિત છે. કહેવાય છે કે, અહીં દીવમાં ભગવાન દ્વારા જલંધરનો વધ કરવામાં આવ્‍યો હતો, તે દરમિયાન જલંધરનું મસ્‍તક દીવ જલંધર બીચ ખાતે પડતા ત્‍યાં પ્રાચીન કાળ સમયથી જલંધર મંદિરની સ્‍થાપના થઈ છે અને તેમનું ત્‍યાં મંદિર બનાવવામાં આવ્‍યું હતું. જલંધર એક રાક્ષસ હોવા છતાં લોકો તેની પૂજા-અર્ચના કરતા હતા. આજે દીવ પ્રશાસન દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરી પોલીસ બંદોબસ્‍ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, સાથે જલંધર પર પર બીજું ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર તથા ચક્રતીર્થ બીચ પાસે આવેલ દરગાહનું પણ ડિમોલિશન કરવામાં આવ્‍યુ હતું. ડિમોલિશનથી લોકોની આસ્‍થાનો ભંગ થયો છે.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરાલયમાં ઉત્તરાખંડ રાજ્‍યના 24મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

Leave a Comment