Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

સાધકોએ માંગણી કરી હતી કે, આશારામ બાપુને જેલમાંથી મુક્‍ત કરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં આજે ગુરૂવારે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈ હતી. આશારામ બાપુના સાધકો દ્વારા યોજાયેલ યાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી.
વર્તમાન સમયમાં ચૂંટણીની રેલીઓ અને યાત્રાઓ યોજાવાના દોર ચાલી રહ્યો છે તે મધ્‍યે વલસાડ જિલ્લાના આશારામ બાપુના સેવકો સાધકો દ્વારા આજે ગુરૂવારે ભવ્‍ય હરિનામ સકિર્તન યાત્રા યોજી હતી.શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આયોજીત આ સકિર્તન યાત્રા વલસાડ હાલર ચાર રસ્‍તા સહિત શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ફરીને પાલીહીલ ખાતે પૂર્ણ થઈ હતી. ચૂંટણીના માહોલ વચ્‍ચે નિકળેલી યાત્રાના સાધકોએ માંગણી કરી હતી કે, અમારા ગુરૂ, ભગવાન શ્રી આશારામ બાપુ નિર્દોષ હોવા છતાં જેલમાં પુરી રખાયા છે. તેઓ સદેહ અમારી સાથે નથી પણ અમારા વચ્‍ચે વસી રહ્યા છે. પૂ.બાપુને જેલ મુક્‍ત કરો તેવી રેલીમાં જોડાયેલા ભાઈ-બહેનોએ માંગણી કરી હતી. રેલીમાં સેંકડોની સંખ્‍યામાં સાધકો જોડાયા હતા. શણગારેલા વાહનો ઉપર આશારામની મોટા કદની તસવીરો સાથે યાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી.

Related posts

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

Leave a Comment